Author: Shukhabar Desk

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ૨૦૨૩ની સુપર-૪ મેચમાં મોટો અકસ્માત થયો હતો. વાસ્તવમાં રવિન્દ્ર જાડેજાનો એક બોલ પાકિસ્તાની બેટ્‌સમેન આગા સલમાનના ચહેરા પર વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ આગા સલમાનના ચહેરા પરથી લોહી વહેવા લાગ્યું, જેના પછી મેદાનમાં અંધાધૂંધી મચી ગઈ. આખા સલમાનના ચહેરા પરથી લોહી નીકળતું જાેઈને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં તેની આસપાસ એકઠા થઈ ગયા. મેદાન પર આ દ્રશ્ય જાેઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ ડરી ગયા. વાસ્તવમાં થયું એવું કે પાકિસ્તાનની ઈનિંગની ૨૧મી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો લેફ્ટ આર્મ સ્પિનર ??રવિન્દ્ર જાડેજા બોલર માટે આવ્યો. આ દરમિયાન પાકિસ્તાનનો બેટ્‌સમેન આગા સલમાન ક્રિઝ પર…

Read More

વિરાટ કોહલી (૧૨૨*) અને કેએલ રાહુલ (૧૧૧*) ની શાનદાર સદી બાદ કુલદીપ યાદવની ૫ વિકેટની મદદથી ભારતે એશિયા કપ સુપર-૪ની મેચમાં પાકિસ્તાનને ૨૨૮ રને કારમો પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં ૨ વિકેટે ૩૫૬ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૨ ઓવરમાં ૮ વિકેટે ૧૨૮ રન બનાવી શકી હતી. ઈજાને કારણે પાકિસ્તાનના બે ખેલાડી બેટિંગ માટે આવ્યા નહીં. આ જીત સાથે ભારતે બે પોઈન્ટ મેળવી લીધા છે. પાકિસ્તાન તરફથી ફખર જમાને સૌથી વધુ ૨૭ રન બનાવ્યા હતા. ફખર ઝમાન કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ઈમામ-ઉલ-હક માત્ર ૯ રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ…

Read More

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરુલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજાે ભૂકંપ આવ્યો હતો. મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર (દ્ગજીઝ્ર) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ ૨૦ કિલોમીટર હતી. આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દરમિયાન મંગળવારે આંદામાન સમુદ્રમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે ૩.૩૯ વાગ્યે આવ્યો હતો અને તે ૯૩ કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. સોમવારે વહેલી સવારે બંગાળની…

Read More

ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. યુપીમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં આગામી ૭૨ કલાક સુધી ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી પહેલા વાત કરીએ રાજધાની દિલ્હીની. સોમવારે દિલ્હીમાં આખો દિવસ ભેજયુક્ત અને હળવો વરસાદ પડ્યો હતો. તે જ સમયે, મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. દિલ્હીમાં વર્ષની શ્રેષ્ઠ હવાની ગુણવત્તા નોંધાયાના એક દિવસ પછી, હવાની ગુણવત્તા બગડી અને સંતોષકારક શ્રેણીમાં નોંધાઈ હતી. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે…

Read More

મોટો કારોબાર કરતી કંપનીઓ માટે જીએસટી અંગે નવું અપડેટ આવ્યું છે. કંપનીઓએ એક નવેમ્બરથી માલ અને સેવા કર (GST) સંબંધિત રસીદોને પોર્ટલ પર ૩૦ દિવસની અંદર ‘અપલોડ’ કરવાની રહેશે. આ જાેગવાઈ ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધુનો કારોબાર કરનારી કંપનીઓ પર લાગૂ થશે. જીએસટીના ઈ રસીદ પોર્ટલનું સંચાલન કરનારી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ એક ભલામણમાં જીએસટી ઓથોરિટીના આ ફેસલાની જાણકારી આપી. જે મુજબ ઓથોરિટીએ રસીદ જારી થવાની તારીખથી ૩૦ દિવસની અંદર તેને પોર્ટલ પર અપલોડ કરવાનું કહ્યું છે. આ સમયમર્યાદા ૧૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધુના વાર્ષિક કારોબારવાળા કરદાતાઓ પર લાગૂ થશે. આ વ્યવસ્થા એક નવેમ્બર ૨૦૨૩થી લાગૂ થઈ…

Read More

એક સમયે ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાના ભાવ હવે સામાન્ય થઈ ગયા છે. દેશમાં સામાન્ય લોકોને ૩૦ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોની ટેન્શન વધી ગઈ છે. ખેડૂતોને ટામેટાનો પાક નકામા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. મહારાષ્ટ્રના લાતુરમાં ખેડૂતોની હાલત એવી છે કે તેમને ટામેટાનો પાક માત્ર ૮૦ પૈસા પ્રતિ કિલોના ભાવે વેચવો પડે છે. જથ્થાબંધ બજારમાં તેના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતો ટામેટાના પાકનો ખર્ચ વસૂલ કરી શકતા નથી. લાતુરના એક ખેડૂતનું કહેવું છે કે તેણે ૨ થી ૩ હેક્ટરમાં ટામેટાંની ખેતી કરી હતી જેથી તેને સારો…

Read More

વર્તમાન કારોબારી ચેરમેને આ દાવો કરતા કહ્યુ હતુ કે, ભાજપમાંથી જ કોઈએ હોદ્દો નહીં મળવા દેવા માટે થઈને આ ક્લીપ વાયરલ કરીને માહોલ ઉભો કર્યો છે. તો જેમના નામ ઉછળ્યા છે, તેઓએ પણ આવી જ વાત કહેતા હવે ભાજપમાં જ માહોલ ગરમાયો હોય એવી સ્થિતિ જાેવા મળી રહી છે.મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે. ભાજપમાં જ અંદર અંદર ખેંચમતાણ હોવાના સંકેતો સામે આવ્યા છે. અંદર અંદર જ એક બીજાની પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ જાેવા મળતી હોય એમ આક્ષેપ અને બાદમાં વળતા જવાબ પરથી લાગી રહ્યુ છે. કૌશિક વ્યાસ…

Read More

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી રાજ્યની પોલીસની ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પોલીસને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પોલીસ VIP કલ્ચરનુ અનુસરણ ન કરે કાયદોએ તમામ માટે સમાન છે તેવી ટકોર કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોલીસને સંબોધીને જણાવ્યુ હતુ કે, સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે. ગુજરાતમાં ધંધા રોજગાર સારા છે. તેની પાછળ ગુજરાત પોલીસને શ્રેય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, આ કોન્ફરન્સમાં ૩ વાત તમારી, ૩ વાત અમારી અને ૩ વાત લોકો ની થવી જાેઇએ’. મુખ્યમંત્રીએ આ તકે એમ પણ કહ્યું કે, ગુન્હો- ક્રાઈમ…

Read More

રાજ્યમાં એસ.કે.લાંગા અને કે.રાજેશ બાદ વધુ એક કલેકટર વિવાદમાં આવ્યા છે. સાબરકાંઠા કલેકટર નૈમેષ દવે વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભૂમાફિયાઓની સાથે મિલીભગતમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે છઝ્રમ્ અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉચ્ચકક્ષાની તપાસ માટે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરાઈ છે. સરકારી તિજાેરીને નુકસાન થાય એ રીતેની સાંઠગાંઠ કરીને ખેડૂતોને હેરાન કરાતા હોવાની આરોપ છે. કલેકટર અને ભૂ માફિયા સાથે ગાંઠમાં ખેડૂતોની જગ્યા પચાવી પડાઈ હોવાનો આરોપ છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ છે. સાબરકાંઠાના તલોદની ખેતી લાયક જગ્યા ભૂમાફિયાઓ એ પચાવી પાડી છે. સર્વે નંબરની જગ્યાઓમાં કોર્ટના હુકમ બાદ પણ…

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૨ મું અંગદાન થયું છે. ૧૯ વર્ષના યુવકને માર્ગ અકસ્માત નડતા તે સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયા હતા. પરિવારજનોએ અંગદાનનો ર્નિણય કર્યો અને રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે ચાર અંગોનું દાન મળ્યું છે. મોડાસાના જયદિપસિંહ ચૌહાણને ૭ સપ્ટેમ્બરના રોજ મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો.આ માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાઓ વધુ ગંભીર હોવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તેઓને લાવવામાં આવ્યા અહીં તબીબોની ત્રણ દિવસની અથાગ મહેનત બાદ પણ અંતે પ્રભુને ગમતુ જ થયું. કદાચિત વિધાતાએ જયદિપસિંહ માટે આ જીંદગી ૧૯ વર્ષની જ લખી હતી. વિધાતાની શ્યાહીથી લખાયેલ લેખ પરિણામે જ થયું. તબીબોએ ૧૦મી સપ્ટેમ્બરની રાત્રે…

Read More