શું તમે જાણો છો કે આદિપુરુષમાં કૃતિ સેનન ડિરેક્ટર ઓમ રાઉતની પહેલી પસંદ નહોતી. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે ક્રિતિ પહેલા દક્ષિણ અને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કર્યો, જ્યારે બધાએ ના પાડી, ત્યારે તેમની પાસે કૃતિ સિવાય બીજાે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આદિપુરુષના નિર્માતાઓએ કૃતિ પહેલા ૪ અભિનેત્રીઓનો સંપર્ક કર્યો હતો. કૃતિ સેનને આદિપુરુષમાં જાેરદાર અભિનય દર્શાવ્યો છે. તેના ચહેરા પરનો જાનકી ભાવ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે. આ જ કારણ છે કે તેમના નામની જગ્યાએ ડાયરેક્ટર ઓમ રાઉત અને ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરનું નામ લોકોના હોઠ પર છે. તેની ટીકા…
Author: Shukhabar Desk
સુમ્બુલ તૌકીર ખાન પર ચારે તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. કારણ કે, તેના પરિવારમાં એક નહીં પરંતુ બે-બે નવા સભ્યોનું આગમન થયું છે. વાત એમ છે કે, એક્ટ્રેસના પિતા તૌકીર ખાનના આખરે બીજીવાર નિકાહ થઈ ગયા છે. સુમ્બુલ જ્યારે છ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સ અલગ થયા હતા અને તેના ૧૩ વર્ષ બાદ તેમણે ૧૫ જૂને ફરીથી ‘કુબૂલ હૈ… કુબૂલ હૈ… કુબૂલ હૈ’ કહ્યું. નિકાહના ચાર દિવસ બાદ સુમ્બુલે સોશિયલ મીડિયા પર તેની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે. તૌકીર હસન ખાને ડિવોર્સી અને એક દીકરીની મમ્મી નિલોફર સાથે પ્રાઈવેટ સેરેમનીમાં નિકાહ કર્યા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો…
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા બિગ બોસ ઓટીટી ૨ ગત સીઝનની સરખામણીમાં વધારે એન્ટરટેનિંગ છે અને તેમા શંકાને કોઈ સ્થાન નથી. બીજી સીઝનમાં કેટલાક કન્ટેસ્ટન્ટ્સનું ગ્રુપ બની ચૂક્યું છે, શોના ત્રીજા એપિસોડમાં જે કન્ટેસ્ટન્ટે છેલ્લે રિયાલિટી શોના ઘરમાં એન્ટ્રી મારી છે, તે છે આકાંક્ષા પુરી અને પલક પુરસવાની. ઘરમાં તેમના પ્રવેશવાની સાથે કો-કન્ટેસ્ટન્ટ્સનું મિક્સ રિએક્શન હતું. જાે કે, કોઈ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી આકાંક્ષા સાથે જદ હદીદની વાતચીત. પહેલા દિવસથી જ બંને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. તેના પરથી મીકા સિંહનું પત્તું કપાઈ જશે તેમ દર્શકોને લાગી રહ્યું છે. બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાં…
પોતાની જ જાહેરાત બોક્સ પર છાપી અને તેનો ચાર્જ ગ્રાહક પાસેથી લેતાં ગ્રાહક સુરક્ષા કોર્ટે એક પિઝા આઉટલેટને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા ન્યૂ ફ્રીઝલેન્ડ (બાલાજી એન્ટરપ્રાઈઝ)ના પિઝા આઉટલેટને ૬૦ દિવસમાં ગ્રાહક કલ્યાણ ભંડોળમાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ અમદાવાદ (શહેર) ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક પાસેથી લીધેલા ૧૨ રૂપિયા પણ તેને પાછા ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત તેના પર લગાવાયેલો જીએસટી ચાર્જ અને આ કેસ દાખલ કર્યા પછી ગ્રાહકને થયેલા ખર્ચ અને માનસિક સંતાપ પેટે પણ ૩ હજાર રૂપિયા ચૂકવવાની સૂચના આપવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૧માં હરમિન શાહ નામના…
૧૩ વર્ષની નિધિ જ્યારે યોગ કરે છે, તો જાેનારા લોકોની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. નિધિને યોગની ક્રિયાઓ કરતા જાેઈ મનમાં એ સવાલ ચોક્કસથી આવે છે કે, આ છોકરી છે કે, ઈલાસ્ટિકની કોઈ વસ્તું છે. નિધિએ પોતાના શરીરથી એવી ક્રિયાઓ કરે છે, જાણે કોઈ રબ્બરની ઢીંગલી હોય. હકીકતમાં જાેઈએ તો, બુધવારે એટલે કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ ખાસ દિવસ પર અમે આપને હિમાચલ પ્રદેશના હમીરપુરની નિધિ ડોગરા સાથે મુલાકાત કરાવીશું. નિધિએ યોગમાં ૬ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. હમીરપુરના સુઝાનપુરની ચૈરી ખિયૂંદ ગામની નિધિ ડોગરાએ વર્લ્ડ બુક ઓફ યોગા રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. નિધિ ડોગરાએ ફક્ત…
શહેરના ડુમસ રોડ ઉપર વાય જંકશન નજીક પાંચ કિલોમીટર સુધી ત્રણેય બાજુ સિનિયર સિટીઝન, યુવાનો, શાળાના બાળકો જાેડાઈને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના વાઇ જક્શન ખાતે ૧.૫૦ લાખ કરતા વધુ લોકો એક સાથે યોગા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી પ્રદેશ અધ્યક્ષ હર્ષ સંઘવી લોકો સાથે જાેડાયા હતા. દેશભરમાં આજના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. પોતાનું સ્વાર્થ સારું રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ દેશભરમાં આજના દિવસે લોકો યોગ કરતા હોય છે. ત્યારે સુરત ખાતે આજે વિશ્વ…
શહેરમાં ૨૦ જૂનના રોજ રથયાત્રા નીકળી હતી. એકદમ શાંતિપૂર્વક આ રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે રથયાત્રાના દિવસે કેટલાંક લોકો નવું વાહન ખરીદતા હોય છે. રથયાત્રાના દિવસે નવું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાના પવિત્ર તહેવાર દરમિયાન ૫૦૦૦થી પણ વધારે નવા વાહનોનું વેચાણ થયું હતું. રથયાત્રાનું શુભ મુર્હૂત અમદાવાદના અનેક વ્હીકલ્સ ડિલર્સ માટે ખુશીનો સમય લઈને આવ્યો હતો, કારણ કે ગ્રાહકોના ઉત્સાહના કારણે વેચાણમાં મોટો વધારો નોંધાયો હતો. મંગળવારે એટલે કે રથયાત્રાના દિવસે અમદાવાદમાં ઓટોમોબાઈલ શોરુમમાંથી ટુ અને ફોર વ્હીલર્સ સહિત ૫૫૦૦થી પણ વધુ નવા વાહનો ખરીદવામાં આવ્યા હતા. તો મહત્વની વાત તો એ છે કે,…
૨૧મી તારીખે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં યોજાઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ૧.૪૫ લાખ લોકો ભેગા થઇન યોગ કરી રહ્યા છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓને યોગ દિવસની હાર્દિક શુભકામના આપી છે. તેમમે ટિ્વટ કરીને જણાવ્યુ છે કે, આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે.…
આપણા ગ્રહ પૃથ્વીના આકાશમાં પાણીના વાદળોમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. પૃથ્વી પર વીજળી પડવાની ઘટનાઓ મોટાભાગે વિષુવવૃત્તની આસપાસના વિસ્તારોમાં થાય છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ જુનોએ એક તસવીર લીધી છે, જે દર્શાવે છે કે, આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુના આકાશમાં પણ પૃથ્વીની જેમ જ વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે. સ્પેસ એજન્સી નાસા અનુસાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ, વૈજ્ઞાનિક કેવિન એમ. ગિલે અવકાશયાનના જુનોકેમમાંથી એક ફોટો લીધો હતો. નાસાના એરક્રાફ્ટ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં ગુરુના ઉત્તર ધ્રુવ પાસે વીજળીનો ચમકારા જાેવા મળી રહ્યો છે. એમોનિયા-પાણીના દ્રાવણ ધરાવતા વાદળોને કારણે ગુરુના આકાશમાં વીજળી ચમકે છે. આ ઘટના ઘણીવાર…
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેમ નથી રમતો ટેસ્ટ ક્રિકેટ? ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે. વાત એમ છે કે, સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયા પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને ટીમના ખેલાડીઓની ટીકા થઈ રહી છે. ભારતીય કંડિશનમાં ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાના સ્પિનર ઓલરાઉન્ડર સારું પર્ફોર્મ કરે છે. પરંતુ જ્યારે વિદેશી પરિસ્થિતિની વાત આવે છે તો આ જ ઓલરાઉન્ડર સંઘર્ષ કરતાં જાેવા મળે છે. તેવામાં ભારતને પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવની જેવા કોઈ ખેલાડીની જરૂર છે. જે ફાસ્ટ બોલિંગ પણ કરી શકે અને બેટિંગમાં પણ પોતાનો દમ દેખાડી શકે…