કેન્દ્રીય નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે ગુરુવારે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૩) મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છે, અમારા અને તમારામાં આ જ ફરક છે. ર્નિમલા સીતારમણે કહ્યું હતું કે ‘૨૦૧૩માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની ટોચની પાંચ નબળી અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ કર્યું હતું. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઉચ્ચ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે. માત્ર ૯ વર્ષમાં અમારી સરકારની નીતિઓને કારણે અર્થવ્યવસ્થામાં સુધારો થયો અને કોવિડ હોવા છતાં આર્થિક વૃદ્ધિ થઈ છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર…
Author: Shukhabar Desk
ગુજરાતની ક્રેટા કાર બાદલીથી બહાદુરગઢ તરફ જઈ રહી હતી. તે પાછળથી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી તમામ પાંચના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ ગુજરાતના રહેવાસીઓ હતા.પાંચેય મૃતક યુવકો ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના હતા કેએમપીએક્સપ્રેસ વે પર ફરી એકવાર સ્પીડનો કહેર જાેવા મળ્યો છે. અહીં એક ઝડપી ક્રેટા કાર અને ટ્રક વચ્ચે આ ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા.આ અકસ્માત બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે કેએમપી એક્સપ્રેસમાં થયો હતો. આ અકસ્માત સવારે સાડા સાત વાગ્યે કેએમપીએક્સપ્રેસ વે પર થયો હતો. અહીં ૫ લોકો…
આજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સ,આઇટીસી,કોટક મહિન્દ્રા બેંક,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઓએનજીસી ટોચના નિફ્ટી ગેઇનર્સ હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૦૭.૬૩ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકાના ઘટાડા સાથે ૬૫,૬૮૮.૧૮ પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી ૮૯.૪૫ પોઈન્ટ એટલે કે ૦.૪૬ ટકાના ઘટાડા સાથે ૧૯૫૪૩.૧૦ ના સ્તર પર બંધ થયો હતો. આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. આરબીઆઈએ બેંકો માટે વધારાના કેશ રિઝર્વ રેશિયો રાખવાની જાેગવાઈ કરી છે, જેના કારણે બેંક…
પીએમ મોદી દેશની એનડીએસરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા લોકસભા પહોંચ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, હું અહીં દેશના કરોડો લોકોનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજે હું જાેઉં છું કે વિપક્ષે નક્કી કર્યું છે કે લોકોના આશીર્વાદથી એનડીએ અને ભાજપ પાછલા તમામ રેકોર્ડ તોડીને જંગી જીત સાથે વાપસી કરશે. તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ હંમેશા અમારા માટે નસીબદાર છે, તે એ પણ સુનિશ્ચિત કરશે કે અમે રેકોર્ડ બ્રેકિંગ જનાદેશ સાથે પરત ફરીશું. વિપક્ષના ઈરાદા…
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ૨૦૨૩ પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી પર અનેક પ્રહારો કર્યા છે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ૨૦૨૩ પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી પર અનેક પ્રહારો કર્યા છે ત્યારે આ અંગેનો જવાબ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદ પહોંચ્યા હતા અને વિપક્ષને આડે હાથે લીધું હતું. નવી દિલ્હીઃ…
નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઇ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઇને સાપુતારા ફરવા જઇ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કાર ચાલક યુવક અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર…
દર વર્ષે ૧૦ ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાટિક સિંહ ગુજરાતની આન, બાન અને શાન ગણાય છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર જંગલમાં સિંહની વસ્તી વસવાટ કરે છે. દેશ અને વિદેશથી સાસણ ગીરમાં લોકો સિંહ જાેવા આવે છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલીમાં વર્ષ ૨૦૨૨-૨૩માં સિંહ સંરક્ષણને લઈને સફળ કામગીરી કરવામાં આવી છે. લીલીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં ગ્રેટર ગીર અટલે કે બૃહદ ગીરના વિસ્તારમાં (જંગલ સિવાયનો વિસ્તાર) અંદાજે ૧૦૦ થી ૧૧૦ જેટલા સિંહોનો વસવાટ છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા અંતર્ગત અમરેલી અને ભાવનગરનો વિસ્તાર આવે છે. આ…
હવામાન વિભાગે રાજ્યમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદની એક્ટિવ સિસ્ટમ ન હોવાનું જણાવીને ભારે વરસાદની સંભાવનાઓ નકારી છે. આવામાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં એકાદ ભાગમાં સામાન્ય વરસાદ પણ થવાની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં આજે સવારે શહેરના કેટલાક ભાગોમાં ઝરમર-ઝરમર વરસાદ થયો હતો. હાલ રાજ્યમાં વરાપ છે ત્યારે ખેડૂતો માટે સારી ખબર છે, કારણ કે ત્રણ રાઉન્ડમાં થયેલા ભારે વરસાદના કારણે ખેતીના જરુરી કામ અટકી પડ્યા હતા. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાં કેવો વરસાદ રહેશે તેવી સંભાવના…
વિરમગામમાં થોડા દિવસ પહેલા અંધશ્રદ્ધાનો ભોગ બનેલી ૧૦ મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આરોપી મહિલાને જેલભેગી કરવામાં આવી છે. સમગ્ર કેસની વાત કરીએ તો, બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પહેલા ડોક્ટર પાસે જ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સારવારનો ખર્ચ ૫૦ હજાર રૂપિયા થશે તેમ કહેવામાં આવ્યું હતું અને પરિવાર પાસે આટલી રકમ ન હોવાથી કોઈના કહેવા પર તેમણે વડગામમાં આવેલા મંદિરના એક ભુવા પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ભુવાએ તેને પેટના ભાગ પર ગરમ-ગરમ સળીયાના ત્રણ ડામ થતાં તેની સ્થિતિ વધુ વણસી હતી. જ્યાં બાદ તેને તરત જ રાજકોટની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કે.…
વિશ્વનો સૌથી મોંઘો સિક્કો સેન્ટ-ગાઉડંસ ડબલ ઇગલ છે, જે ઓગસ્ટસ સેન્ટ-ગૌડેન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સિક્કો ૧૯૦૭ અને ૧૯૩૩ ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો અને માત્ર ૪,૪૫,૫૦૦ સિક્કા બનાવવામાં આવ્યા હતા. આમાંથી દુનિયામાં માત્ર ૧૨ સિક્કા બચ્યા છે. અમેરિકામાં યોજાયેલી હરાજીમાં આ એક સિક્કાની કિંમત ૧૬૩ કરોડ રૂપિયા સુધી લગાવવામાં આવી છે. આ કડીમાં બીજાે નંબર અમેરિકાના ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલરનો આવે છે, જે અમેરિકામાં જ બનાવવામાં આવ્યો હતો. આ સિક્કો ૧૭૯૪ માં બનાવવામાં આવ્યો હતો અને માત્ર ૧,૭૫૮ સિક્કા બનાવવામાં આવ્યા હતા. અત્યારે દુનિયામાં માત્ર ૬ સિક્કા બચ્યા છે. એક હરાજીમાં આ દરેક સિક્કાની કિંમત ૧૦૭.૫૭ કરોડ…