આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પર સૌ કોઈની નજર છે. તેનું કારણ છેકે, લાંબા સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સતત તૂટી રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસની ઘણી ગાંઠી સીટો વધી છે. તો લોકસભામાં તો ગુજરાતમાં ઘણાં સમયથી કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યું નથી. ત્યારે આ વખતે કોંગ્રેસે રણનીતિ બદલી છે. જે અંતર્ગત આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ૨૬ પૈકી ૧૫ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરશે. છેલ્લી બે ટર્મથી ભાજપ લોકસભામાં ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને પછાડી રહ્યું છે. આ વખતે પણ ભાજપ સતત ત્રીજીવાર ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો જીતીને જીતની હેટ્રિક લગાવવાની…
Author: Shukhabar Desk
શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મુદ્દો શાંત નથી થયો ને એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં એક કારચાલકે ૨ રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માત આનંદનગર રોડ પર સર્જાયો હતો. તેના કારણે ૨ લોકોને ઇજા પહોંચી હતી. આ બંને ઇજાગ્રસ્તોને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આનંદનગર રોડ પર આવેલા ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ ખાતે આ અકસ્માત સર્જાયો હતો. અહીં એક કારચાલકે એક ટેમ્પો, ગાડી અને ૨ રિક્ષાને…
એરલાઈનમાં મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્સા કેટલીય વાર બન્યા છે. ક્યારેક કોઈ પેસેન્જર દારુના નશામાં અભદ્ર વર્તન કરે કે હોબાળો મચાવે તો વળી કોઈ પેસેન્જર નજીવી બાબતે કેબિન ક્રૂ સાથે ઝઘડી પડે, તો ક્યારેક બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ જાય છે. જેના લીધે ફ્લાઈટમાં રહેલા બીજા પેસેન્જરોને પણ હેરાન થવાનો વારો આવે છે અને તેમની મુસાફરી બગડે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. હંગેરિયન એરલાઈન વિઝ એરની ફ્લાઈટમાં બે પેસેન્જરો વચ્ચે ઝઘડો થતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવું પડ્યું હતું. અબુધાબીથી માલદીવ્સના શહેર મેલ જઈ રહેલી ફ્લાઈટમાં બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ હતી. પરિસ્થિતિ વણસતાં કેબિન ક્રૂએ બંને પેસેન્જરોને…
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં દાવો કર્યો છે કે રોબર્ટ વાડ્રાએ જામીનની શરતોનું પાલન કર્યું નથી. ઈડ્ઢના વકીલે કહ્યું કે તેઓ જામીનની શરતોના ઉલ્લંઘનના કેસમાં કોર્ટમાં વધારાનું સોગંદનામું દાખલ કરશે. દિલ્હી હાઈકોર્ટે આ માટે ઈડ્ઢને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલે હવે સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટ ૧ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને પડકારતી ઈડ્ઢની અરજી પર સુનાવણી કરી રહી હતી. રોબર્ટ વાડ્રાને આગોતરા…
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોનો ઉપયોગ થઈ શકશે નહીં. સુપ્રીમે મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા આપત્તિજનક શબ્દોથી અંતર જાળવવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમના વિકલ્પ તરીકે કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે તે માટે હેન્ડબુક બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે જેન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોને દૂર કરવા માટે એક હેન્ડબુક લોન્ચ કરી છે. જે જજાેને કોર્ટના આદેશોમાં અનુચિત જેન્ડર શબ્દોના ઉપયોગથી બચવામાં મદદ કરશે. સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડે હેન્ડબુક લોન્ચ કરતા કહ્યું કે તેમાં આપત્તિજનક શબ્દોની યાદી છે અને તેની જગ્યાએ કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય, તે વિશે જણાવવામાં આવ્યું છે. આ શબ્દો આદેશ આપવામાં અને તેની કોપી તૈયાર…
જય શાહે તાજેતરમાં મિયામીમાં રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. મળતી જાણકારી મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)ના સેક્રેટરી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ વચ્ચે સામાન્ય વાતચીત જેવું લાગે છે. પણ વાત એટલી સરળ નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ્૨૦ ઈન્ટરનેશનલની શરૂઆત પહેલા ફ્લોરિડાના લોડરહિલમાં ૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ બેઠક થઈ હતી. અમારા સહયોગી ક્રિકબઝમાં છપાયેલા અહેવાલ મુજબ આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. ભારતીય ટીમ મિયામીની મેરિયોટ હોટલમાં રોકાઈ હતી, પરંતુ અંગત મુલાકાતે અમેરિકા પહોંચેલા જય શાહ અન્ય હોટલમાં રોકાયા હતા, તે માત્ર રાહુલ દ્રવિડ જ તેમને મળવા ગયા હતા. આ બેઠક ત્યારે થઈ જ્યારે ભારતીય ટીમ…
ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ છે. પરંતુ જ્યારે ડોક્ટર જ બેદરકારી દાખવે તો વ્યક્તિનો જીવ જવામાં સમય લાગતો નથી. જવાબદારીની સમયે બેદરકારીનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશના વિજયવાડાના એલુરુ સરકારી હોસ્પિટલની જ વાત કરીએ તો, અહીંયાના ડોક્ટરો સિઝેરિયન કર્યા બાદ મહિલાના પેટમાં જ સર્જિકલ સીઝર ભૂલી ગયા હતા. સર્જિકલ પ્રક્રિયા બાદથી જ મહિલાએ પેટમાં તીવ્ર દુઃખાવાની ફરિયાદ કરતાં અન્ય હોસ્પિટલમાં તેની અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરોની બેદરકારી પ્રકાશમાં આવી હતી. . એલરુ જિલ્લાના કલેક્ટરે બેદરકારીની ગંભીર નોંધ લીધી હતી અને જિલ્લા મેડિકલ…
હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ છે. રાજ્યના મુખ્ય સચિવ (મહેસૂલ) ઓનજકાર શર્માએ જણાવ્યું કે, ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિમાં અત્યારસુધીમાં ૭૧ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય કાંગરા જિલ્લામાં પોંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક વિસ્તારો ડૂબી ગયા છે. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૭૦૦ લોકોને બચાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, આર્મી અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. શિમલા તેની જ કટોકટીનો સામનો કરી રહ્યો છે,…
સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર ૨’ની ચારે તરફ ધૂમ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મ અનિલ શર્માની વર્ષ ૨૦૦૧માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે, જેમાં પાકિસ્તાન અને ભારતના ભાગલાના દર્દ અને તકલીફ વચ્ચે પ્રાંગરતી લવસ્ટોરીને દર્શાવાઈ છે. ‘ગદર ૨’એ એક તરફ થિયેટર્સની રોનક પાછી લાવી દીધી છે, તો બીજાે પક્ષ એવો પણ છે કે કેટલાક લોકોને આ કહાણી પસંદ નથી આવી. કેટલાક તેને ‘ગદરઃ એક પ્રેમ કથા’ કરતા નબળી જણાવી રહ્યા છે. જાેકે, આજે આપણે તેના વિશે વાત નથી કરવાના, પરંતુ આપણે અસલી ‘ગદર’ હીરો બૂટા સિંહની કહાણી જાણવાના છીએ. એ બૂટા…
કેનેડાની નાગરિકતા ધરાવતા બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ફરીથી ભારતીય નાગરિકતા મળી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર અક્ષય કુમારે ટિ્વટર પર આ ખુશખબર તેના તમામ ફેન્સ અને દેશવાસીઓ સાથે શેર કરી છે. અક્ષય કુમારને ઘણીવાર ‘કેનેડા કુમાર’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતો હતો. ભારતમાં ટેક્સ ચૂકવતી વખતે પણ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી. ઘણા સમયથી અક્ષય કુમાર ભારતની નાગરિકતા મેળવવાની કોશિશ કરી રહ્યો હતો અને આખરે તેણે સ્વતંત્રતા દિવસ પર ભારતની સિટિઝનશીપ મળી ગઈ. આ ખુશી શેર કરતા અક્ષયે ટ્વીટ કરીને લખ્યું કે,Dil aur citizenship, dono Hindustani. Happy Independence Day! Jai Hind! જણાવી દઈએ કે કેનેડાની નાગરિકતા પહેલા પણ…