રાજ્યમાં હાલ મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેમ ઓગસ્ટ મહિનામાં ખાસ વરસાદ વરસ્યો નથી. ત્યારે જૂન અને જુલાઈમાં શ્રીકાર વરસેલા વરસાદ સાથે રાજ્યમાં સિઝનનો કુલ ૮૧ ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૬૬ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ડેમની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૮૩.૯૨ ટકા પાણીનો જથ્થો સંગ્રાયેલો છે. જ્યારે સૌથી ઓછો પાણીનો સંગ્રહ મધ્ય ગુજરાતના ૧૫ ડેમમાં માત્ર ૪૯.૨૦ ટકા પાણીનો જથ્થો છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૮૧.૫૪ ટકા વરસાદ નોંધાયો છે. આંકડા જાેઇએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬ ટકા…
Author: Shukhabar Desk
પોસ્ટ ઓફિસના દેશભરમાં કરોડો ગ્રાહકો છે જેમના માટે તે વિવિધ યોજનાઓ ચલાવે છે. બેંકોની જેમ તમે પણ પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો, જેમાં તમને સુરક્ષાની સાથે સારા રિટર્નની ગેરંટી પણ મળે છે. જાે તમે પણ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તાજેતરમાં, પોસ્ટ ઓફિસમાં આ ખાતાના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ ઈ-નોટિફિકેશન જારી કરીને નાણા મંત્રાલયે પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ફેરફાર અંગે માહિતી આપી છે. નોંધનીય છે કે આ તમામ ફેરફારો ખાતાધારકની સુવિધા માટે કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં,…
પાકિસ્તાની યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમને ભારતના ચંદ્રયાન-૩ની સફળતા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો તે હસીને જવાબ આપે છે અને પોતાના દેશની ખામીઓ ગણવા લાગે છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનના લોકો પહેલાથી જ ચંદ્ર પર રહે છે, તેમને ન તો વીજળી મળે છે અને ના તો પાણી મળે છે. તેમણે કહ્યું કે ભારત રૂપિયા ખર્ચીને જઇ રહ્યું છે, આપણે ચંદ્ર પર છીએ. વાયરલ વીડિયોમાં આ વ્યક્તિ કહે છે, ‘તે પૈસા ખર્ચીને જઇ રહ્યો છે ને? આપણે પહેલેથી જ ચંદ્ર પર જીવીએ છીએ. તમને ખબર નથી?’ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, ‘ના. આપણે…
ભારતના ચંદ્રયાન-૩ ઉપગ્રહે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી ઉપલબ્ધિ છે. મિશનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોની નજર આ મિશન પર ટકી હતી. ઈતિહાસ રચીને ભારતે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. દરેક વ્યક્તિ સ્પેસ એજન્સી ઈસરોની મહેનતની પ્રશંસા કરી રહી છે. આ પ્રસંગે પાકિસ્તાનીઓએ પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર Congratulations Neighbors ખૂબ જ ટ્રેન્ડ થયું હતું. પાકિસ્તાનને ભારત સાથે ગમે તેટલી દુશ્મની હોય, પરંતુ આ…
જાે કે ઉત્તર પ્રદેશમાં આવેલ તાજમહેલ તેને આખી દુનિયામાં પ્રખ્યાત કરી ચુક્યો છે, પરંતુ હવે આ રાજ્યમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં બની રહેલા આ મંદિરનું નામ ચંદ્રોદય વૃંદાવન મંદિર હશે અને તે આગામી દોઢથી બે વર્ષમાં તૈયાર થઈ જવાની આશા છે. આ મંદિરનું નિર્માણ ઈસ્કોન એટલે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનો શિલાન્યાસ ૧૬ નવેમ્બર ૨૦૧૪ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો હતો. મંદિરમાં લગભગ ૧૬૬ માળ હશે, જે દુનિયાના કોઈ મંદિરમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની આસપાસ ૧૨ કૃત્રિમ જંગલો બનાવવામાં આવશે. તેઓ…
ભારત આજે વિશ્વમાં પોતાની હાજરી સ્થાપિત કરવા માટે તૈયાર છે. ચંદ્રયાન ૩ આજે ચંદ્ર પર ઉતરશે અને દેશનું ગૌરવ વધારશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે. ભારતે ૧૪ જુલાઈના રોજ સવારે ૨.૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ લોન્ચ કર્યું હતું. આ પછી ચંદ્રયાન-૩ને ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું. ચંદ્ર પર ચાલનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ હતા જે નાસાના એપોલો ૧૧ મિશન હેઠળ ૧૧ જુલાઈ ૧૯૬૯ના રોજ ચંદ્ર પર ગયા હતા. તેમણે પોતાની સફર માટે કહ્યું હતું – આ માણસ માટે એક નાનું પગલું છે, માનવતા માટે એક વિશાળ છલાંગ છે. વર્ષ ૨૦૧૨માં ૮૨ વર્ષની વયે તેમનું અવસાન થયું…
દુનિયાભરના દેશોએ ગઈ કાલે ઈસરોને મિશન મૂનને શુભકામનાઓ આપી છે. ભારતનું ચંદ્રયાન- ૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોના આ અભિયાનમાં અહીં સુધી પહોંચાડવા માટે તમિલનાડૂના દીકરા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે એબ્દુલ કલામ, ચંદ્રયાન-૨ના મિશનના ડીરેક્ટર માયિલસામી અન્નાદુરઈ, ચંદ્રયાન-ના પ્રોજેક્ટ નિદેશક વીરમુથેવલ પીનું યોગદાન તો ઠીક પણ આ રાજયની માટી પણ મહત્વનું યોગદાન આપે છે. રાજ્યની રાજધાની ચેન્નાઈથી લગભગ ૪૦૦ કિમી દૂર નામક્કલ ૨૦૧૨થી ચંદ્રયાન મિશનની ક્ષમતાને તપાસવા માટે ઈસરોને માટી આપે છે. કારણ કે આ જિલ્લાની જમીન ચંદ્રની સપાટી જેવી છે. આ પ્રકારથી ઈસરોએ પોતાના લેન્ડર મોડ્યૂલની ક્ષમતાઓની તપાસ કરવા અને તેમાં સુધારો લાવવામાં મદદ મળે…
યુકેને સ્કિલ્ડ વર્કર્સની જરૂર છે, પરંતુ સ્ટુડન્ટ વિઝા પર લાખોની સંખ્યામાં યુવાનો UK આવે અને પછી વર્ક વિઝા પર કામ કરવા લાગે તે તેને પસંદ નથી. તેના કારણે સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરાવવા પર આકરા પ્રતિબંધ લાદી દીધા છે. આ કડક નિયમો તાજેતરમાં જ અમલમાં આવ્યા છે. જેના કારણે UKમાં અભ્યાસ કરીને પછી વર્ક વિઝા મેળવી લેવાશે તેવું માનીને આવેલા સ્ટુડન્ટને આંચકો લાગ્યો છે. ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ઘણા વિદ્યાર્થીઓ અહીં સ્ટુડન્ટ વિઝા પર આવીને કામકાજ શોધી લેવાનો ઈરાદો ધરાવતા હોય છે.UK એ સ્ટુડન્ટ વિઝામાં અત્યાર સુધી મળતી કેટલીક છુટછાટો બંધ કરી તેની સામે હજારો વિદ્યાર્થીઓએ…
ભારતમાં સામાન્ય જનતા વધતી જતી મોંઘવારીના કારણે ચિંતિત છે. છેલ્લા બે મહિનામાં દેશમાં ટામેટા, ડુંગળી સહિત અનેક શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શાકભાજીની મોંઘવારીમાં ક્યાં સુધી રાહત મળશે. આ પ્રશ્નનો જવાબ આપતા ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું કે સપ્ટેમ્બર સુધીમાં શાકભાજીની કિંમતમાં મોટો ઘટાડો થઇ શકે છે. એક કાર્યક્રમમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો છે. આના કારણે દેશમાં અનાજની કોઈ અછત નથી અને યોગ્ય પુરવઠાને કારણે કિંમતને અંકુશમાં રાખવામાં મદદ મળી છે. આ સાથે તેમણે કહ્યું કે, જાે કે મોંઘવારીનો દર હજુ પણ અપેક્ષા કરતા વધારે છે,…
ગુજરાતમાં દારુબંધી કેટલી કારગર છે એતો આપણે બધા જાણીએ જ છીએ. રાજ્યમાં રોજેરોજ દારુબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. દારુ પાર્ટીથી લઈને દારુ પીને અકસ્માત કરનારાઓના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જાે કે, આજે જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છ કારણે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતેથી સામે આવી છે. ૨૦-૦૮-૨૦૨૩ એ સ્ટેટ વિજિલન્સની ટીમે ૪૪ લાખ ઉપરાંતનો દારૂ પકડ્યો હતો. એસપીને દારૂની પેટી ગાયબ થયાની બાતમી મળતા તપાસ કરી હતી. જેમાં દારૂની પેટીઓની ગણતરી કરતા ૨૩ પેટી દારૂ ગાયબ જાેવા…