શરૂઆતથી જ એવી અટકળો હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઈન્ડિયાગઠબંધનના કન્વીનર બનાવવામાં આવશે, પરંતુ હવે તેને આ વાત પર મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, હવે નીતિશ કુમારની બદલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કન્વીનર બનાવવામાં આવી શકે છે. આ સિવાય અન્ય મુખ્ય પક્ષોના ૧૧ નેતાઓને સહ-સંયોજકોની જવાબદારી મળી શકે છે. ૩૧મી ઓગસ્ટ અને ૧લી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનારી બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં, આ દરમિયાન ઈન્ડિયાએલાયન્સના લોગોનું અનાવરણ થઈ શકે છે અને દિલ્હીમાં હેડક્વાર્ટર બનાવવાની જાહેરાત પણ થઈ શકે છે.જેડીયુના સૂત્રોનું કહેવું છે કે, નીતિશ કુમારે પોતે કન્વીનર બનવાની ના પાડી દીધી…
Author: Shukhabar Desk
સાઉદી અરેબિયા અને યુએઈ એક સમયના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ સાથે સબંધો સુધારવાના રસ્તા પર છે. જાેકે સંખ્યાબંધ મુસ્લિમ દેશો એવા છે જે ઈઝરાયેલનુ નામ પડતા જ ભડકી ઉઠે છે. લિબિયા પણ આ પૈકીનો એક દેશ છે.લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. કારણકે ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને દાવો કર્યો છે કે, ગયા સપ્તાહે મેં લિબિયાના વિદેશ મંત્રી મંગૌશ સાથે રોમમાં મુલાકાત કરી હતી.આ નિવેદન બાદ લિબિયાના રસ્તા પર લોકો ઉતર્યા હતા અ્ને વિદેશ મંત્રી મંગૌશના વિરોધમાં દેખાવો કર્યા હતા. એ પછી લિબિયાના વડાપ્રધાને વિદેશ મંત્રીને સસ્પેન્ડ કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ…
તોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં ચુકાદો આપતા મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. ઈમરાન ખાન પર સરકારી ગિફ્ટ્સ સસ્તા ભાવે ખરીદવાનો અને પછી તે જ ભેટોને ઊંચા ભાવે વેચવાનો આરોપ હતો.ઈસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનની ત્રણ વર્ષની જેલની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ૈંૐઝ્રના ચીફ જસ્ટિસ આમિર ફારુક અને જસ્ટિસ તારિક મહમૂદ જહાંગીરીની ડિવિઝન…
અમેરિકાના મશહૂર રેપ સિંગર એમિનેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રેસમાં ઉતરેલા ભારતીય મૂળના નેતા વિવેક રામાસ્વામી સામે વાંધો પડી ગયો છે.રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એમિનેમના સંગીતનો ઉપયોગ કર્યો હતો. જેના પર રેપરે હવે સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો છે. રેપ સિંગરે કહ્યુ છે કે, રામાસ્વામી મારા સંગીતનો ઉપયોગ ના કરે. આ માટે મ્યુઝિક લાઈસન્સર બ્રોડકાસ્ટને એમિનેમે ફરિયાદ પણ કરી છે.તાજેતરમાં વિવેક રામાસ્વામીનો એક વિડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓ એમિનેમનુ એક રેપ ગીત ગાતા જાેવા મળ્યા હતા. રામાસ્વામી રેપ સંગીતના શોખીન છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે વિવેક રામાસ્વામી…
ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં ઓબીસીઅનામત મુદ્દે આજે જાહેરાત કરવામાં આવી છે. ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એસસીઅને એસટીઅનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત ઓબીસીને ૨૭ ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસીમાટે ૫૦ ટકા…
શહેરનો એક કરૂણ કિસ્સો હાલ ઘણી જ ચર્ચામાં છે. શહેરમાં મિલિટ્રી સોસાયટીમાં રહેતા પુત્ર અને માતાનું માત્ર છ કલાકના ગાળામાં મોત નીપજ્યુ છે. પુત્રનું રાતે બાર કલાક બાદ મોત નીપજ્યું હતુ. જે સમાચાર જીરવી ન શકતા માતાએ પણ સવારે છ વાગ્યાની આસપાસ પોતાનો જીવ છોડી દીધો હતો. હાલ આ સમાચારને કારણે પરિવાર સહિત આખા વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ અંગે મળતી વિસ્તૃત જાણકારી પ્રમાણે, ભાવનગરની મિલિટ્રી સોસાયટીમાં પ્લોટ નંબર ૧૭૪માં રહેતા કમલેશભાઈ ચંપકલાલ ઠાકરને આંતરડાનું કેન્સર હતુ. તેઓ ઘણાં સમયથી આ બીમારીને કારણે પીડાતા હતા. કમલેશભાઇ ભાવનગર આઇટીઆઇમાં ફોરમેન તરીકે નોકરી કરતા હતા. આ સાથે તેઓ કર્મયોગી મંડળીમાં ડાયરેક્ટર…
વડોદરાના વરણામાં મોટી દુર્ઘટના ટળી છે. વરણા ઈટોલા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. આ સાથે જ ટ્રેક ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પાઈલટની સતર્કતાથી ૨ એક્સપ્રેસ ટ્રેનનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. વડોદરાના વરણામાં ઈટોલા વચ્ચે રેલવે ટ્રેક પર પોલ મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મોડી રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ નહીં મળતા મામલો સામે આવ્યો હતો. કેટલાક અસામાજીક તત્વોએ મેટલ ફેનસિંગ પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ૨ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી…
યુકેમાં અન્ય કોઈપણ સ્થળ કરતાં વધુ ભૂતોનું ઘર બર્મિંગહામ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોક લિજેન્ડ સિંગર ઓઝી ઓસ્બોર્ન અને ટીવી સ્ટાર કેટ ડીલીના હોમ ટાઉન બર્મિંગહામમાં ૩૧ ટકા લોકોએ કહ્યું કે તેઓએ ભૂત જાેયું છે. સમગ્ર બ્રિટનમાં ૨૦% લોકો દાવો કરે છે કે તેઓએ તેમના જીવનમાં કોઈક સમયે ભૂત જાેયું છે. અભ્યાસમાં કરવામાં આવેલો આ દાવો ડરામણો છે. અહેવાલ મુજબ બર્મિંગહામ બ્રિટનની ભૂતિયા રાજધાની છે. અહીં રહેતા ક્રેગ કનિંગહામ નામના વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે તે ટીનેજર હતો ત્યારે તેણે પોતાના બેડરૂમમાં એક આત્મા જાેઈ હતી. તે જ સમયે, અન્ય ૪૩ વર્ષીય વ્યક્તિએ કહ્યું, ‘મને સ્પષ્ટપણે એક ભૂત…
૨૪ વર્ષીય એક યુવતીને વારંવાર ઓડકાર આવતા હતા. તે દિવસમાં ૫થી ૧૦ ઓડકાર આવવાના કારણે પરેશાન હતી કે આવું કેમ થઇ રહ્યું છે. સમસ્યા જ્યારે ગંભીર બની તો તેણે ડોક્ટર પાસે તપાસ કરાવી. આ દરમિયાન તેને જાણ થઇ કે તેને પેટનું કેન્સર છે, જેના કારણે તેને વારંવાર ઓડકાર આવી રહ્યા છે. એક લેખ અનુસાર, યુવતી એક નર્સ છે અને આ કેસ ૨૦૨૧નો છે. જ્યારે તેને સતત ઓડકાર આવવા લાગ્યા તે દરમિયાન તેને જાણ થઇ કે તેના પેટમાં ભયંકર ગેસ બની રહ્યો હતો. લક્ષણો વધુ ગંભીર બનતા તેણે ડોક્ટર પાસે તપાસ કરાવી અને તેને જાણ થઇ કે યુવતીને પેટનું કેન્સર છે.…
યૂરોપિયન દેશ સ્કોટલેન્ડમાં અત્યારે નોકરી કરવાની શાનદાર તક છે. અહીં ફરવા અને નોકરી કરવા માટે વિવિધ કેટેગરીના વિઝા પણ ઉપલબ્ધ છે. તેવામાં આજે અહીં સ્કોટલેન્ડમાં અનસ્કિલ્ડ પ્રોફાઈલ ધરાવતા વર્કરની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. આથી કરીને આને ભરપાઈ કરવા માટે કર્મચારીઓની નિમણૂક કરાઈ રહી છે. અનસ્કિલ્ડ જાેબની વાત કરીએ તો આ એવા લોકો છે જેમની પાસે ઓછી કુશળતા છે અથવા તો તેમને ટેમ્પરરી બેઝ પર નોકરી આપવામાં આવે છે. આવા કર્મચારીઓને કંપનીને જેની જરૂર હોય તેના આધારે જ ભરતી કરવામાં આવે છે. સૌથી પહેલા સ્કોટલેન્ડમાં વિઝિટર વિઝા તરીકે અપ્લાય કરી વર્ક પરમિટ પણ મેળવી શકાય છે. એટલું જ નહીં અહીં…