રાજકોટ રોગચાળાના ભરડામાં આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં રોગચાળાની રંજાડને પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયાં છે. ત્યારે શહેરમાં વધી રહેલા રોગચાળાને પગલે હવે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લારવા માછલીઓનો ઉપયોગ અને પાણી ભરાયેલા સ્થળે દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વરસાદ ખેંચાતા હવે રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. એક તરફ તહેવારોની સિઝન છે ત્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. રોગચાળો વકરતા રાજકોટની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે. તહેવાર સમયે જ રોગચાળાના ભરડામાં શહેર આવતા ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયા છે. પાછલા એક સપ્તાહના રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુના ૪૭ કેસ, શરદી-ઉધરસના ૫૨૮ કેસ, સામાન્ય તાવના ૫૦ કેસ, ઝાડા-ઉલટીના ૨૪૨ કેસ અને કમળાના ૨ કેસ નોંધાયા છે. અધિકારીઓનો દાવો છે કે ઘરના સ્વચ્છ પાણીના પગલે ડેન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉચક્યું છે.રાજકોટમાં ચાલુ સિઝનમાં નોંધાયેલા રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુના અત્યાર સુધી કુલ ૪૭ કેસ નોંધાયા છે ચિકનગુનિયાના ૮ કેસ શરદી-ઉધરસના ૧૦ હજાર, સામાન્ય તાવના ૧,૩૯૨ કેસ, ઝાડા-ઉલટીના ૩,૭૫૩ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે શહેરમાં વધી રહેલા રોગચાળાને પગલે હવે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લારવા માછલીઓનો ઉપયોગ અને પાણી ભરાયેલા સ્થળે દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે.
