Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અનંતનાગના કોકરનાગમાં સેનાનું સર્ચ ઓપરેશન અનંતનાગમાં વધુ એક જવાન શહીદ, બે જવાન ઘાયલ થયા
    India

    અનંતનાગના કોકરનાગમાં સેનાનું સર્ચ ઓપરેશન અનંતનાગમાં વધુ એક જવાન શહીદ, બે જવાન ઘાયલ થયા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 16, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે.

    જમ્મુ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો. આ જવાન ગઈકાલે એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયો હતો. આ શહીદ થયેલા મેજર આશિષ ઢોંચકના પાર્થિવ દેહને તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

    જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષાદળોના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અગાઉ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બુધવાર બપોરથી એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા.
    આ અગાઉ દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની એક એન્કાઉન્ટરમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ ડીએસપી શહીદ થયા હતા. આતંકવાદી સાથેની એન્કાઉન્ટરમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહિદ થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.