Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ થઈ છે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રીમે જામીન આપ્યા
    India

    એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ થઈ છે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રીમે જામીન આપ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુપ્રીમ કોર્ટે બુધવારે (૨૩ ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા.
    જણાવી દઈએ કે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને એનઆઈએમાટે એડિશનલ સોલિસિટર જનરલની દલીલો સાંભળી. રોહતગીએ કહ્યું કે પ્રદીપ શર્મા એક આદરણીય પોલીસ અધિકારી હતા જેઓ ૩૭ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા હતા. એન્ટિલિયા બોમ્બ કેસ અને બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યામાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો.

    વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે આ કેસમાં મુખ્ય આરોપી છે અને શર્માને વાજે સાથે જાેડવાના કોઈ સીધા પુરાવા નથી. શર્મા પર માત્ર હિરેનની હત્યામાં સહ-ષડયંત્ર રચવાનો આરોપ છે. શર્મા વાજેને મળ્યા પણ આ દરમિયાન શું થયું? સામે આવ્યું નથી. જણાવી દઈએ કે ૨૪ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે શર્માની પત્નીની સર્જરીના કારણે તેમની વચગાળાની જામીન બે સપ્તાહ માટે વધારી દીધી હતી.
    પ્રદીપ શર્મા મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચમાં ફાયરબ્રાન્ડ ઓફિસર રહી ચૂક્યા છે. તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે. તેની પાસે ૧૦૦ થી વધુ એન્કાઉન્ટર કરવાનો રેકોર્ડ છે. તેઓ ૧૯૮૩માં પોલીસ સેવામાં જાેડાયા હતા અને ૨૦૧૯માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ પછી તેણે રાજકારણમાં એન્ટ્રી લીધી.

    પ્રદીપ શર્માએ ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી, ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોની શોધના સંબંધમાં ચર્ચામાં આવ્યા હતા. આ મામલે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.
    એનઆઈએએ કહ્યું હતું કે, પ્રદીપ શર્મા ગેંગનો સક્રિય સભ્ય હતો, જેણે અંબાણી પરિવાર સહિત અન્ય લોકોને ડરાવવાનું કાવતરું ઘડ્યું હતું અને બાદમાં મનસુખ હિરેનની હત્યા કરી હતી, કારણ કે તે ષડયંત્રથી વાકેફ હતો. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે હિરેન સમગ્ર ષડયંત્રથી વાકેફ હતો અને આરોપી શર્મા અને વાજે બંનેને આશંકા હતી કે હિરેન દ્વારા તેનો પર્દાફાશ થઈ શકે છે, જે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.