Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અંબાજી જવાના રસ્તા સતત બીજા દિવસે અકસ્માત થયો
    Gujarat

    અંબાજી જવાના રસ્તા સતત બીજા દિવસે અકસ્માત થયો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભાદરવી પૂનમના મેળોના આજે ચોથો દિવસ છે. છેલ્લાં ૩ દિવસમાં સાડા ૧૩ લાખથી વધુ માઈભક્તોએ જગત જનની જગદંબાના દર્શન કર્યાં છે. ત્યારે પદયાત્રીઓના માર્ગે સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. ત્રિશૂળિયા ઘાટ નજીક ટ્રક પલટી ગઈ હતી.

    મંડપનો સામાન ભરેલી ટ્રક પલટી જતાં ૨ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને દાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી જવાના રસ્તે ત્રિશુલિયા ઘાટ પર આ અકસ્માતની ઘટના બની હતી. ત્રિશુલ્યા ઘાટમાં સામાન ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી. મંડપનો સામાન ભરેલી ટ્રકની બ્રેક ફેલ થઈ હતી, જેથી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, અને તમામ સામાન નીચે પડ્યો હતો. બ્રેક ફેલ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બંનેને દાંતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્રક અંબાજીથી દાંતા તરફ જઈર હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જાેકે, મોટી દુર્ઘટના થતા રહી હતી, હાલ કોઇ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી અને સ્થિતિમાં કાબૂમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમનો રંગેચંગે પ્રારંભ થયો છે.

    હાલ પદયાત્રી પોતાના રથ લઈને અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા બસના બે ટુકડા થયા હતા, જેમાં સવાર ૪૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે લાખો માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ત્યારે યાત્રાળુઓની સુખ, સુવિધા અને સલામતી માટે પોલીસ તંત્ર રાત દિવસ ખડેપગે કામ કરી રહ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.