Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»Amarnath Yatra 2025: કઠુઆમાં ભગવાન શિવને સમર્પિત લેસર શોનું ભવ્ય આયોજન
    India

    Amarnath Yatra 2025: કઠુઆમાં ભગવાન શિવને સમર્પિત લેસર શોનું ભવ્ય આયોજન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 3, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Amarnath Yatra 2025: શ્રદ્ધા, દેશભક્તિ અને જનજાગૃતિનું અનોખું સમન્વય કઠુઆ રિવરફ્રન્ટ પર જોવા મળ્યું

    Amarnath Yatra 2025: જમ્મુ કાશ્મીરના કઠુઆ શહેરમાં શ્રી અમરનાથ યાત્રા 2025ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લેસર શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જિલ્લા માહિતી કેન્દ્ર કઠુઆ દ્વારા આ શો કઠુઆ રિવરફ્રન્ટ પર રજૂ કરવામાં આવ્યો હતો, જે લોકશ્રદ્ધા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ બની રહ્યું.

    Amarnath Yatra 2025

    આ બહુ-થીમ આધારિત લેસર શોમાં શિવ તાંડવ, ગંગા આરતી, દેશભક્તિ પર આધારિત પ્રસ્તુતિઓ અને લાઈટ એફેક્ટ્સનો સુંદર સમન્વય હતો. પ્રેક્ષકો એ આ શો દરમિયાન અનેક વખત તાળીવી વગાડી અને શોનો આનંદ માણ્યો. નદીના કિનારે બેઠેલા લોકો માટે પણ આ દૃશ્ય શ્રદ્ધા અને ભાવનાથી ભરેલું રહ્યું.

    કાર્યક્રમમાં ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર ડૉ. રાકેશ મિન્હાસે જણાવ્યું કે “આ કાર્યક્રમ કઠુઆને સાંસ્કૃતિક રીતે સજીવ રાખવા માટેનો એક પ્રયાસ છે અને ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમોનું આયોજન કરીને વહીવટીતંત્ર અને જનતાને નજીક લાવવામાં આવશે.” તેમણે કઠુઆને એક મોડેલ જિલ્લો બનાવવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

    Amarnath Yatra 2025

    ડીસીએ કહ્યું કે “કઠુઆ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ડોર સ્ટેડિયમનું નિર્માણ પણ શરૂ થવાનું છે, જે સ્થાનિક યુવાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.” કાર્યક્રમમાં કઠુઆ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. ભારત ભૂષણે માહિતી વિભાગ અને વહીવટીતંત્રના પ્રયત્નોને બિરદાવ્યા.

    Amarnath Yatra 2025

    તેમણે ઉમેર્યું કે “કઠુઆ વોટરફ્રન્ટ હવે શહેરની નવી ઓળખ બની રહ્યું છે અને આવા કાર્યક્રમો સામાજિક જોડાણ અને શ્રદ્ધા બંનેને મજબૂત બનાવે છે.” આ પ્રસંગે અન્ય અધિકારીઓ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

    Amarnath Yatra 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.