Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટમાં ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો ઝોમેટોમાંથી મગાવેલા ફૂડમાં વાસી છાશ ને કારણે એક વ્યક્તિની તબીયત બગડી હોવાનાં આક્ષેપ
    Gujarat

    રાજકોટમાં ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો ઝોમેટોમાંથી મગાવેલા ફૂડમાં વાસી છાશ ને કારણે એક વ્યક્તિની તબીયત બગડી હોવાનાં આક્ષેપ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બદલાયેલી લાઇફ સ્ટાઇલના કારણે ઓનલાઇન ફૂડ મગાવવાનું ચલણ વધ્યું છે, દેશભરમાં ખાસ કરીને મોટા શહેરોમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ખૂબ વધ્યું છે. કારણ કે ૨૪ કલાક કોઈ પણ સમયે ઘર બેઠા ફૂડ ડિલિવર થઈ જતું હોવાથી લોકો મોટા પ્રમાણમાં ઝોમેટો અને સ્વિગી જેવી એપનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક ઓનલાઈન મગાવેલું ફૂડ જાેખમી પણ સાબિત થતું હોય છે.અનેક વખત આવા બનાવો સામે પણ આવતા રહે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે, જેમાં ઝોમેટોમાંથી મગાવેલા ફૂડમાં વાસી છાશ ને કારણે એક વ્યક્તિની તબીયત બગડી હોવાનાં આક્ષેપ કરાયા છે. અને ભોગ બનનાર વ્યક્તિએ રિફંડ સ્વીકારવાની બદલે ઝોમેટો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે. છાશ પીતા જ ઊલટીઓ થઈ શરૂ ઝોમેટો દ્વારા કરાયેલી ડિલિવરીમાં આ બેદરકારીનો ભોગ બનનાર પ્રકાશ જાદવે ટીવી૯ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ અમદાવાદથી રાજકોટ પોતાના બિઝનેસના કામ અર્થે આવેલા છે. તેઓ ત્રિકોણ બાગ પાસે આવેલી હોટેલ ક્રાઉનમાં રોકાયા હતા. મોડી રાત્રે તેઓ રાજકોટ પહોંચ્યા હોવાથી તેમને રેસ્ટોરન્ટમાં જમવા જવા કરતા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું યોગ્ય લાગ્યું હોવાથી તેમણે ઝોમેટો મારફતે પરફેક્ટ આમલેટ નામની રેસ્ટોરન્ટમાથી ફૂડ ઓર્ડર કર્યું. ફૂડની સાથે છાશ પણ ઓર્ડર કરી હતી.
    જમી લીધા બાદ આ છાશ પિતા જ પ્રકાશ ભાઈને એકદમ તમ્મર ચડી ગયા,ચક્કર આવવા લાગ્યા અને ઊલટીઓ શરૂ થઈ ગઈ,જેથી તેમણે છાશનું પેકિંગ ચેક કરતા આ છાશ ૧૪ ઓગસ્ટના રોજ એટલે કે ૧૦ દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગઈ હતી. આ છાશ પીવાના કારણે આખી રાત પ્રકાશ ભાઈને ઊલટીઓ થઈ અને ચક્કર આવ્યા. આ બાબતમાં ઝોમેટો,રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી કરનાર વ્યક્તિની પણ બેદરકારી છે. આ અંગે તેઓએ ઝોમેટોને ફરિયાદ કરતા ઝોમેટો દ્વારા તેમને છાશના ૩૦ રૂપિયા રિફંડ કરવાની ઓફર આપવામાં આવી અને ત્યારબાદ ઓર્ડરની તમામ રકમ પણ રિફંડ કરવાની રજુઆત ઝોમેટો દ્વારા કરવામાં આવી.
    પ્રકાશ ભાઈએ જણાવ્યું કે તેમને રૂપિયા રિફંડ મેળવવા કરતા અન્ય લોકોના આરોગ્ય સાથે આ પ્રકારે ચેડાં ન થાય તે માટે દાખલો બેસાડવો છે. જેથી તેઓ ઝોમેટો અને પરફેક્ટ આમલેટ રેસ્ટોરન્ટ સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરશે અને આગળ કાયદાકીય લડાઈ લડશે. જેથી આગળ જતા અન્ય લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય. આ પ્રકારની બેદરકારી સામે પ્રકાશ જાદવ જેવા જાગૃત વ્યક્તિ કાયદાકીય લડાઈ કરીને દાખલો બેસાડે તે જરૂરી બન્યું છે,જેથી આગળ જતા અન્ય લોકોના આરોગ્ય સામે જાેખમ ઉભુ કરતા પહેલા આ પ્રકારના રેસ્ટોરન્ટ એક વખત વિચાર કરે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.