Air India flight Returned: અમદાવાદ ક્રેશ બાદ એર ઇન્ડિયાની સુરક્ષા વધારાઈ: 16 ફ્લાઇટ્સના રૂટ બદલાયા
Air India flight Returned: શુક્રવારે સવારે ફરી એકવાર આકાશમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું. મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI129 ને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ મુંબઈ પરત ફરવું પડ્યું.
Air India flight Returned: ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાના પેસેન્જર પ્લેન ક્રેશ થયા પછી, શુક્રવારે સવારે ફરી એકવાર આકાશમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું. મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI129 ને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ મુંબઈ પરત ફરવું પડ્યું. ઈરાનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં હાલ માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે.
એર ઇન્ડિયાએ નિવેદન કરીને જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષાને પ્રમુખતા આપતાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે અને તેમને તેમના પ્રસ્થાન બિંદુએ પાછા બોલાવવામાં આવી છે.
#TravelAdvisory
Due to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…
— Air India (@airindia) June 13, 2025
આ ફ્લાઇટ્સના રૂટમાં થયા બદલાવ
ફ્લાઇટ નં. | રૂટ | નવી સ્થિતિ |
---|---|---|
AI129 | મુંબઈ → લંડન | પાછી મુંબઈ પરત ફરાવી |
AI130 | લંડન → મુંબઈ | વિયેનામાં ડાયવર્ટ |
AI102 | ન્યુયોર્ક → દિલ્હી | શારજાહમાં ડાયવર્ટ |
AI116 | ન્યુયોર્ક → મુંબઈ | જિદ્દાહમાં ડાયવર્ટ |
AI2018 | લંડન → દિલ્હી | મુંબઈમાં ડાયવર્ટ |
AI119 | મુંબઈ → ન્યુયોર્ક | પાછી મુંબઈ પરત ફરાવી |
AI103 | દિલ્હી → વોશિંગ્ટન | પાછી દિલ્હી પરત ફરાવી |
AI106 | નેવાર્ક → દિલ્હી | પાછી દિલ્હી પરત ફરાવી |
AI188 | વેંકૂવર → દિલ્હી | જિદ્દાહમાં ડાયવર્ટ |
AI101 | દિલ્હી → ન્યુયોર્ક | ફ્રેંકફર્ટ/મિલાનમાં ડાયવર્ટ |
AI126 | શિકાગો → દિલ્હી | જિદ્દાહમાં ડાયવર્ટ |
AI132 | લંડન → બેંગલુરુ | શારજાહમાં ડાયવર્ટ |
AI2016 | લંડન → દિલ્હી | વિયેનામાં ડાયવર્ટ |
AI104 | વોશિંગ્ટન → દિલ્હી | વિયેનામાં ડાયવર્ટ |
AI190 | ટોરોન્ટો → દિલ્હી | ફ્રેંકફર્ટમાં ડાયવર્ટ |
AI189 | દિલ્હી → ટોરોન્ટો | પાછી દિલ્હી પરત ફરાવી |
શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?
ઈરાનમાં ઝડપથી બગડતી સ્થિતિને લીધે ત્યાંનું વાયુમાર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. આવા સંજોગોમાં એર ઇન્ડિયાએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જોખમથી બચવા માટે આ પગલું લીધું છે. અગાઉ પણ આવા તંગ સમયમાં એરલાઈન્સ દ્વારા આવું જ સાવધાનીપૂર્ણ વલણ અપનાવવામાં આવતું રહ્યું છે.
એર ઇન્ડિયા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને મુસાફરોને સહકાર આપવા વિનંતી કરી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઇટની અપડેટેડ માહિતી માટે એરલાઇનની વેબસાઇટ અથવા કસ્ટમર સર્વિસનો સંપર્ક કરે.