Ahmedabad Jal Yatra 2025: જલયાત્રા નું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ શું છે? જાણો
Ahmedabad Jal Yatra 2025: ભગવાન શ્રી જગન્નાથની જલ યાત્રા એક ખૂબ જ પવિત્ર અને ભાવનાત્મક ઉત્સવ છે, જે રથયાત્રા ઉત્સવ પહેલા આયોજિત થાય છે. તેને સ્નાન પૂર્ણિમા અથવા દેવ સ્નાન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ તે અદ્ભુત ક્ષણ છે જ્યારે હજારો ભક્તો એકસાથે જય જગન્નાથનો મંત્ર ગાન કરે છે અને ભગવાનના સ્નાન ઉત્સવના સાક્ષી બનવા માટે દોડી આવે છે. ચાલો જાણીએ ભગવાન જગન્નાથની જલ યાત્રાનું મહત્વ..
Ahmedabad Jal Yatra 2025: ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અહીં ૨૭ જૂન, શુક્રવાર, અષાઢી પૂર્ણિમાના દિવસે કાઢવામાં આવનાર છે. પરંતુ તે પહેલાં, ભગવાનની જલ યાત્રા બુધવારે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કાઢવામાં આવી હતી. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે જળયાત્રા દ્વારા તેમના મામાના ઘરે એટલે કે સરસપુર જાય છે અને ત્યાં 15 દિવસ રહે છે
વર્ષોથી ચાલી આવી છે પરંપરા
જલયાત્રામાં ભક્તો સાબરમતી નદીમાંથી ૧૦૮ કલશોમાં જળ લઈને મંદિર સુધી પહોંચે છે. પછી આ જળથી ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવે છે.
આ જલયાત્રામાં સંતો, મહંતો, સ્થાનિક લોકો તથા કેટલાક રાજકીય નેતાઓ પણ ભાગ લેશે.
જલયાત્રા અંગે મહારાજ દિલીપ દાસજી મહારાજે જણાવ્યું હતું કે, “૧૪૮મી રથયાત્રાના પવિત્ર અવસરે અગાઉ, જેષ્ઠ પૂર્ણિમાના દિવસે જલયાત્રા મહોત્સવ મનાવવામાં આવે છે. ૧૦૮ કલશમાં સાબરમતી નદીનું જળ ભરાઈને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં આ મહોત્સવ ઉજવવામાં આવે છે.”
ભગવાનના નાનીહાળ સરસપુરમાં ધામધૂમથી ચાલે છે તૈયારીઓ
ભગવાન જગન્નાથના નાનીહાળ સરસપુરમાં તૈયારીઓ ખૂબ જ ધામધૂમથી ચાલી રહી છે. ભગવાન જગન્નાથના ભવ્ય સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રોન દ્વારા ભગવાન પર ફૂલોની વર્ષા કરવામાં આવશે. સાથે જ બેન્ડબાજા અને ઢોલ-તાશાંના સંગાથે ભગવાનનું ભવ્ય સ્વાગત થવાનું છે.
અહીં અંબેડકર હોલથી લઇને ભગવાન રણછોડરાય મંદીર સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં અંદાજે ત્રણ હજાર લોકો ભાગ લેશે. મંદિર આસપાસની રસ્તાઓને સુંદર રંગોળીથી સજાવવામાં આવ્યા છે.
ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને મંદિરમાં દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં ભક્તો દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા આવશે. ભગવાન સરસપુરમાં 15 દિવસ સુધી નિવાસ કરશે અને આ દરમિયાન રણછોડરાય મંદિરે દરરોજ ભજન-કીર્તન યોજાશે.