Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી સોપોર અને કિશ્તવાડમાં હિઝબુલ આતંકીઓના પરિવારે લહેરાવ્યો તિરંગો
    India

    સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી સોપોર અને કિશ્તવાડમાં હિઝબુલ આતંકીઓના પરિવારે લહેરાવ્યો તિરંગો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી છે. હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓના પરિવારોએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો હતો. ઉત્તર કાશ્મીરના સોપોરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. તો જમ્મુના કિશ્તવાડમાં આતંકી મુદસ્સિર હુસૈનના પરિવારે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. સાથે જ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, તેમના દીકરાને શોધી કાઢવામાં આવે. જાવેદ મટ્ટુના ભાઈ રઈસ મટ્ટુએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. જાવેદ હિઝબુલ મુઝાહિદ્દીનનો સક્રીય આતંકી છે. તે આમ તો હાલ પાકિસ્તાનમાં છે. છેલ્લાં ૧૧ વર્ષથી તે પાકિસ્તાનમાં સક્રીય છે. આ સિવાય ડલ લેકથી લઈને લાલ ચોક સુધી દેશભક્તિના રંગમાં ઘાટી રંગાયેલી જાેવા મળી હતી. કાશ્મીરમાં પણ તિરંગા રેલી યોજાઈ હતી. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી મુદસ્સિર હુસૈનના પરિવારે કિશ્તવાડ જિલ્લામાં પોતાના ઘરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે આ પરિવાર સ્વતંત્રતા દિવસ પહેલાં પીએમ મોદી દ્વારા તિરંગો ફરકાવવા માટે શરુ કરવામાં આવેલા અભિયાન હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થયો હતો. હુસૈનના પિતા તારીકે પહાડી જિલ્લાના સુદૂર દચ્છન વિસ્તારમાં કહ્યું કે, મારા દીકરાએ ખોટો રસ્તો અપનાવ્યો છે. અમારા દીકરાને શોધી કાઢવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ.

    તારીકે કહ્યું કે, અમે અમારા ઘરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે અને ઈચ્છીએ છીએ કે દરેક ઘરે તિરંગો ફરકાવવામાં આવે. હુસૈનની માતાએ કહ્યું કે, તે ઈચ્છે છે કે તેમનો દીકરો પરત આવી જાય અને સરક્ષાબળો સામે આત્મસમર્પણ કરી દે. તેઓએ કહ્યું કે, તેને શોધવા અમે પૂરતા પ્રયાસો કર્યા છે. પરંતુ અમે નિષ્ફળ રહ્યાં. અમારા ખાતર સેનાએ તેને શોધવો જાેઈએ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તે પાછો આવી જાય. પોલીસના જણાવ્યા મુજબ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હુસૈન છે અને તેના પર ૨૦ લાખ રુપિયાનું ઈનામ છે. મહત્વનું છે કે, રવિવારના રોજ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૭૫ બાઈક સવારો સાથે આ રેલી કાઢવામાં આવી હતી. ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્‌યો હતો. તો સમગ્ર દેશમાં હાલ હર ઘર તિરંગા અભિયાન જાેવા મળી રહ્યું છે. દેશવાસીઓએ પોતાના ઘરે પણ તિરંગો ફરકાવ્યો છે. આવતીકાલે એટલે કે મંગળવારે સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી ધામધૂમપૂર્વક થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi Adampur Air Base: ઓપરેશન સિન્દૂર બાદ PM મોદીની સાહસિક જવાનો સાથે વાતચીત, આદમપુર એરબેસ પર પહોંચ્યા

    May 13, 2025

    India Pakistan Conflict: પાકિસ્તાનનો કબૂલનામો: ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકો મર્યા, 78 ઘાયલ

    May 13, 2025

    Drinking Poisonous Liquor: અમૃતસરમાં ઝેરી દારૂનો કહેર: 14 લોકોનાં મોત, 5 ગામોમાં હડકંપ

    May 13, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.