Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»અગરકર અને રોહિતે વર્લ્ડ કપની ટીમ જાહેર કરી પાક. સામેની મેચ સંદર્ભના સવાલ પર રોહિત ઉશ્કેરાયો
    Cricket

    અગરકર અને રોહિતે વર્લ્ડ કપની ટીમ જાહેર કરી પાક. સામેની મેચ સંદર્ભના સવાલ પર રોહિત ઉશ્કેરાયો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સેલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગઈકાલે વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી હતી. ત્યારબાદ બંને લોકોએ મળીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેને સાંભળતા જ તે ગુસ્સે થઇ ગયા હતા અને તેણે કડક શબ્દોમાં આ સવાલનો જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્માથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જયારે પણ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ખરાબ પ્રદર્શન કરે છે તો બહારનું પણ વાતાવરણ બગાડી જતું હોય છે.

    આ સવાલ પર રોહિત ભડકી ઉઠ્‌યો અને પોતાના અંદાજમાં જ પત્રકારને જવાબ આપતા કહ્યું, ‘મને નથી લાગતું કે આનાથી કંઈ ફર્ક પણ પડે છે અને મને હવે વર્લ્ડ કપમાં પણ આ સવાલ ન પૂછતાં. આના વિશે વાત કરવાનો કોઈ મતલબ નથી. અમારું ફોકસ અત્યારે બીજી વસ્તુ પર છે અને એક ટીમ તરીકે અમે તેના પર જ ફોકસ કરવા માંગીએ છીએ. યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળ્યું નથી. જે ખેલાડીઓને ટીમમાં જગ્યા નથી મળી તેમનાં અંગે રોહિત કહ્યું કે, ટીમ મેનેજમેન્ટને ઘણી વખત ટીમના ફાયદા માટે ર્નિણયો લેવા પડે છે. ટીમમાં પોતાની જગ્યા માટે સંઘર્ષ કરવું ખરાબ વાત નથી. જેમ જેમ પડકાર વધે છે તેમ તેમ સિલેકશન કઠિન થતું જાય છે. અમને જાેવું પડે છે કે કયો ખેલાડી ફોર્મમાં છે અને વિરોધી ટીમને જાેતા કયો ખેલાડી યોગ્ય હશે. આવું હંમેશા થતું હોય છે. ક્રિકેટમાં ટીમની જરૂર મુજબ ર્નિણયો લેવા પડે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.