Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ હું લખીને આપું છું કે હવે મોદી સરકાર નહીં આવે રાહુલ ગાંધી
    Politics

    વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ હું લખીને આપું છું કે હવે મોદી સરકાર નહીં આવે રાહુલ ગાંધી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ૫ રાજ્યોમાં લોકસભાની સેમિફાઈનલ કહેવાતી વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેનું હાલ ધમધોકાટ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે, જે માટે મોટાભાગના પક્ષોએ અત્યારથી જ યોજનાઓ ઘડવાની શરૂ કરી દીધી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણીઓ પહેલા ખુબ જ સક્રિય જાેવા મળી રહ્યા છે. દરમિયાન રાહુલ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક મુલાકાત થઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે ૨૮ મિનિટ સુધી થયેલી વાતચીત દરમિયાન મોદી સરકારનો પણ ઉલ્લેખ કરાયો હતો.

    કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી હતી. ૨૮ મિનિટની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ સત્યપાલ મલિકને વિવિધ મુદ્દાઓ ઉપર વાત કરી. વાતચીત દરમિયાન સત્યપાલ મલીકે કહ્યું કે, ‘ચૂંટણીને માત્ર ૬ મહિના બાકી છે. હું લખીને આપું છું કે, હવે આ (મોદી સરકાર) નહીં આવે…’

    વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ મલિકને કહ્યું કે, મને લાગે છે કે, ભારતનું રાજકારણ બે વિચારધારાની લડાઈ છે, એક ગાંધીવાદી અને બીજી આરએશએશની… બંનેના વિઝન હિન્દુત્વ છે… એક અહિંસા અને ભાઈચારાની વિચારધારા છે, બીજી નફરત અને અહિંસાની… આ બાબતે તમારું શું કહેવું છે?

    આ સવાલના જવાબમાં સત્યપાલ મલિકે કહ્યું કે, મારું માનવું છે કે, હિન્દુસ્તાન એક દેશ તરીકે ત્યારે જ સર્વાઈવ કરશે, જ્યારે લિબરલ હિન્દુજ્મના રસ્તે ચાલશે… આ ગાંધીનું વિઝન હતું, તેઓ ગામે ગામ ગયા હતા, ત્યારે આ વિઝન સુધી પહોંચ્યા હતા… જાે આ વિચારધારા પર દેશ ચાલશે, ત્યારે જ ચાલી શકશે, નહિં તો ટુકડા થઈ જશે… આપણે લડાઈ-ઝગડા કર્યા વગર એક થઈને રહેવું પડશે.

    મલિકે કહ્યું કે, લોકોએ ટીવી જાેવાનું બંધ કરી દીધું છે, તે સારી વાત છે. આપણી પાસે સોશિયલ મીડિયાનું માધ્યમ છે, જાેકે આ લોકો તેના પર પણ લગામ કસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલે કહ્યું કે, મારા યુટ્યૂબ એકાઉન્ટને દબાવીને રાખ્યું છે. છેલ્લે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે તમારી સાથે વાત કરી, તેથી તમારા પર પણ આક્રમણ થશે. તો મલિકે કહ્યું કે, આનાથી મને કોઈ ફરક પડતો નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

    September 24, 2025

    કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

    September 24, 2025

    US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.