અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જાેય રાઈડ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. અમદાવાદીઓ આજથી ફરી એકવાર હેલિકોપ્ટર જાેય રાઈડ માણી શકશે.
રાજ્યના એવિએશન વિભાગ દ્વારા મંજૂરી મળતા આખરે ૧ વર્ષના વિરામ બાદ પનુ જાેય રાઇડ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે તમે ફરીથી હવામાં ઉડીને અમદાવાદની સફર માણી શકશો. આજથી એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર ૧૦ મિનિટ સુધી અમદાવાદમાં હવાઈ મુસાફરી કરાવશે. આ જાેય રાઈડની ફી પ્રતિ વ્યક્તિ રૂ ૨૧૦૦ રૂપિયા ઉપરાંત GST રાખવાનો ર્નિણય લેવાયો છે. આજે પુનઃ શરૂઆત સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શાળાના ૫ શ્રમજીવી પરિવારના બાળકોને મુસાફરી કરાવાઈ હતી. આ પ્રસંગે મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્ય અને સ્કૂલ બોર્ડ સહિતના amc ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હવે આ જાેય રાઈડને કોઈ મુશ્કેલી ન આવે તે માટે શાસ્ત્રોક્ત વિધિ અને શ્રીફળ વધેરી જાેયરાઇડ ની પુનઃ શરૂઆત કરાઈ હતી.
અમદાવાદમાં જાેય રાઈડ શરૂ કરીને એક વર્ષ પણ પૂરુ થયુ નથી ને તે પહેલા જ તેના પાટિયા પડી ગયા હતા. અમદાવાદીઓ માટે ફેબ્રુઆરી મહિનામાં ગયેલુ હેલિકોપ્ટર જે ઉડ્યુ, તેના પછી પરત આવ્યુ જ ન હતું. અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જાેવાની મજા માણતા હતા. ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ વોટર એરોડ્રામની પાસે જ હેલી પેડ પણ બનાવવામાં આવ્યું છે. જેમા અમદાવાદનો એરિયલ વ્યૂ બતાવવામાં આવે છે. આ રાઈડ મોટાભાગે ફુલ જ રહેતી હતી. હેલિકોપ્ટર તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવાતો હતો. પરંતુ અચાનક કયા કારણોસર આ રાઈડ બંધ કરી દેવાઈ હતી. તે હવે ફરીથી શરૂ કરવામાં આવી છે