Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સરકારના તાજેતરના આંકડામાં માહિતી સામે આવી દેશનાં આંગણવાડી કેન્દ્રોમાં ૪૩ લાખથી વધારે બાળકો મેદસ્વી
    India

    સરકારના તાજેતરના આંકડામાં માહિતી સામે આવી દેશનાં આંગણવાડી કેન્દ્રોમાં ૪૩ લાખથી વધારે બાળકો મેદસ્વી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને ૦-૫ વર્ષની વયજૂથના ૪૩ લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ ૬% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી.

    સરકાર દ્વારા સંચાલિત ગ્રામીણ બાળ દેખરેખર કેન્દ્રો પાસેથી એકત્રિત કરાયેલા આંકડામાં એવી પણ માહિતી સામે આવી હતી કે મેદસ્વીતા કે વધુ વજનની સમસ્યાથી પીડાતા બાળકોની ટકાવારી આંગણવાડી કેન્દ્રોમાં ગંભીર અને મધ્યમ રીતે કૂપોષિત મળી આવેલા બાળકોની ટકાવારી જેટલી જ એટલે કે ૬ ટકા જેટલી હતી.

    બાળકોના વિકાસ સંબંધિત નિરીક્ષણ એપ પોષણ ટ્રેકરથી એકઠાં કરાયેલા આંકડાઓમાં માહિતી મળી કે ૦-૫ વર્ષ વયજૂથમાં કુલ ૭,૨૪,૫૬,૪૫૮ બાળકોને સરવેમાં સામેલ કરાયા હતા જેમાંથી લગભગ ૬ ટકા અથવા ૪૩,૪૭,૩૮૭ બાળકોને મેદસ્વી કે વધારે વજનની સમસ્યાથી પીડિત બાળકો તરીકે વર્ગીકૃત કરાયા હતા.

    માહિતી અનુસાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પ.બંગાળ સહિત દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાળકોના મેદસ્વી હોવાનો દર રાષ્ટ્રીય સરેરાશ ૬ ટકાથી વધુ છે. તાજેતરના વર્ષોમાં બાળકોમાં મેદસ્વીતાની સમસ્યા ચિંતાજનક રીતે વધી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.