Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હેડફોનના કારણે બે ભાઈએ ગુમાવ્યા જીવ
    India

    કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હેડફોનના કારણે બે ભાઈએ ગુમાવ્યા જીવ

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે આ વિસ્તારમાં શોક જાેવા મળી રહ્યો છે. હેડફોનના કારણે બે ભાઈઓએ જીવ ગુમાવ્યા છે. બે પિતરાઈ ભાઈઓ હેડફોન પહેરીને રેલવે ટ્રેક પર બેઠા હતા ત્યારે અચાનક એક ટ્રેન આવી અને તેમને સીધી ટક્કર મારી દીધી હતી. આ પછી બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના દિવાળીના એક દિવસ પહેલા બની હતી. આર્મી મેડિકલ ટ્રેને બંનેને ટક્કર મારી હતી.

    આ ઘટના એટલા માટે બની કારણ કે આ બંનેએ હેડફોન પહેરેલા હોવાથી ટ્રેનનો અવાજ સાંભળી ન શક્યા. આ બંને ભાઈઓ અગ્નિવીરની તૈયારી કરી રહ્યા હતા. તે દરરોજ સવારે રેલવે ટ્રેક પાસે કસરત કરવા જતા હતા. હંમેશની જેમ શનિવારે પણ ગયા. જાે કે રેલવે ટ્રેક પર હેડફોન લગાવીને બેસવાની ભૂલ તેમને મોંઘી પડી છે.

    ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બંનેના મૃતદેહનો કબજાે લઈ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ યુવક શાહપુર ગામનો રહેવાસી હતો. આ ઘટના બાદ તેમના પરિવારજનોને પોલીસ દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ સમયે ત્યાં હાજર રેલવેમેને આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

    રેલવે કર્મચારીએ કહ્યું કે, સામેથી ટ્રેન આવી રહી હતી અને મેં આ યુવકને રેલવે ટ્રેક પર બેઠેલો જાેયો. આ વખતે મેં આ યુવાનોને બૂમ પાડીને ચેતવવાનો ખૂબ પ્રયાસ કર્યો. જાેકે મારો અવાજ તેમના સુધી પહોંચી શક્યો ન હતો. આ બંને યુવકોના કાનમાં હેડફોન હતા. તે ગીત સાંભળતા હોવાથી મારો અવાજ તેમના સુધી પહોંચી શક્યો નહીં.

    સમય એટલો ઓછો હતો કે એક ટ્રેન સીધી સામે આવી અને તેમને ટક્કર મારી દીધી. જે ટ્રેને આ યુવકોને ટક્કર મારી તે આર્મી મેડિકલ ટ્રેન હતી. આ ટ્રેનમાં બે કોચ હતા. હવે આ કિસ્સાના પગલે ગામમાં શોકનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ભૂતકાળમાં આવી જ અનેક ઘટનાઓ બની છે. હંમેશા કહેવામાં આવે છે કે ટ્રેનના પાટાથી દૂર રહેવું જાેઈએ. જાે કે આવી ઘટનાઓ અવાર-નવાર બનતી જાેવા મળે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Air India Flight Emergency Landing: 156 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ કરાવતી વખતે વિમાનમાં સર્જાયુ ગંભીર પરિસ્થિતિ

    June 13, 2025

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.