Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અભિનેતાને એક ભૂલ ભારે પડી ગઇ કિચ્ચા સુદીપની બિગ બોસના ઘરેથી ધરપકડ કરવામાં આવી
    Entertainment

    અભિનેતાને એક ભૂલ ભારે પડી ગઇ કિચ્ચા સુદીપની બિગ બોસના ઘરેથી ધરપકડ કરવામાં આવી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નાના પડદા પર હાલમાં ટીવીના સૌથી મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ ૧૭ની ધૂમ જાેવા મળી રહી છે. જ્યાં એક તરફ હિંદી સિનેમાના દર્શકો વચ્ચે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ચર્ચામાં છે, ત્યાં જ બીજી તરફ દક્ષિણ ભારતીય લોકો ‘બિગ બોસ ૧૦ કન્નડ’ની મજા માણી રહ્યા છે. બિગ બોસ ભલે હિંદીનો શો હોય કે કન્નડ, તેની આસપાસમાં વિવાદ થવો સામાન્ય વાત બની ગઇ છે.

    આજે અમે બિગ બોસ ૧૭ નહીં પણ ‘બિગ બોસ ૧૦ કન્નડ’ની વાત કરવા જઇ રહ્યા છે. ખરેખરમાં એવી ખબર સામે આવી રહી છે કે, કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં એક કન્ટેસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. કિચ્ચા સુદીપ દ્વારા હોસ્ટ કરવામાં આવતા બિગ બોસ કન્નડની ૧૦મી સિઝન ચર્ચામાં છે. તેનું ચર્ચામાં આવવાનું કારણ સ્પર્ધક વર્થુર સંતોષની ધરપકડ છે. ખરેખરમાં કથિત રીતે વર્થુર પર વન વિભાગે વાઘના પંજાનું લોકેટ પહેરવાનો આરોપ છે અને આ અંતર્ગત જ તેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, શો માં વર્થુરને લોકેટ પહેરીને જાેયા બાદ તેના વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરાઇ હતી અને તેના હેઠળ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગતકાલે ૨૨ ઓક્ટોબરે વન વિભાગે અધિકારી બિગ બોસના સેટ પર પહોંચ્યા હતા અને શોના મેકર્સે ચેન અને લોકેટને ઘરની બહાર લાવવા માટે કહ્યું હતું.

    તેમણે તેની તપાસ કરી અને તેવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ અસલી વાઘનો નખ છે. તેના પછી વન વિભાગના અધિકારીઓએ વર્થુરની શોની વચ્ચેથી જ ધરપકડ કરી લીધી. કથિત રીતે વન વિભાગ પેંડેંટની તપાસ કરી રહ્યું છે. પેંડેટને વિસ્તૃત વિશ્લેષણ માટે વિધિ વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલવમાં આવ્યું છે. ધરપકડ કરવા આવેલા અધિકારીએ જણાવ્યું કે,‘વર્થુરે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨નું ઉલ્લંઘન કર્યું છે અને તેમાં ત્રણથી સાત વર્ષની સજાનું પ્રાવધાન છે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે કાતલીપુરાના વન રેંજ કાર્યલયની હિરાસતમાં છે. તમને જણાવી દઇએ કે, વર્થુર સંતોષ કર્ણાટકમાં એક જાણીતી હસ્તી છે. કથિત રીતે વર્થુરને અખિલ ભારતીય ગાય સંરક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરવાને લઇ લોકપ્રિયતા મળી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jasmin Bhasin On Wedding: અલી ગોની સાથે લગ્ન બાદ શું જાસ્મીન ભસીન ધર્મ બદલશે? એક્ટ્રેસે કર્યો ખુલાસો

    May 8, 2025

    Anushka Sharma and Virat Kohli: વિરાટ કોહલીને અનુષ્કા શર્માએ કર્યો નજરઅંદાઝ?, યુઝર્સે કહ્યું- અવનીતના સ્કેન્ડલ બાદ ભાભી ગુસ્સે

    May 8, 2025

    Raid 2 Box Office Collection Day 6: બજેટનો 280% કમાણી કરી 13 રેકોર્ડ બનાવ્યા

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.