Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી માતા-પિતાના ઝઘડામાં પિતાએ બાળકને સાતમા માળેથી નીચે ફેંક્યુ
    Gujarat

    નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી માતા-પિતાના ઝઘડામાં પિતાએ બાળકને સાતમા માળેથી નીચે ફેંક્યુ

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નવસારીમાં એક ક્રૂરતા ભરેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યુ છે, શહેરમાં એક દંપતિના ઝઘડાએ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. નવસારીના જૂના થાણા વિસ્તારમાં એક દંપતિ વચ્ચે પોતાના બાળકને લઇ જવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં પિતાએ પહેલા પોતાના બાળકને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધુ હતુ અને બાદમાં ખુદે પણ સાતમા માળેથી પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ ઘટના બાદ પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી છે, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ ઘટના બની છે.

    અહીં એક દંપતિ, પતિ-પત્નિના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે. મૃતક બાળકનું નામ દ્વિજ ગોસ્વામી છે, જેને તેના પિતા રાકેશ ગોસ્વામી જે છૂટક મજૂરી કામ કરતો હતો. ખાસ વાત છે કે, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ હતો, પતિ છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત કામ ન હતો કરતો, અને પતિએ પોતાના પતિને કામ ધંધા અર્થે ટકોર કરી હતી, આ પછી બન્ને ૯ માસથી જુદા રહેતા હતાં.

    અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે હાલમાં જ પોતાના બાળકને લઇ જવા બાબતે જાેરદાર ઝઘડો થયો હતો, પતિ પોતાના બાળકને લઇ જવાનો પ્રયાસ કરતો હતો, અને પત્નીએ તેને રોક્યો હતો, આ પછી પતિ પોતાના બાળકને લઇને સરકારી વસાહતની બિલ્ડીંગના સાતમા માળે ચઢી ગયો હતો, આ દરમિયાન પોલીસ અને ફાયર જવાનોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જાેકે, તેને પહેલા બાળકને નીચે ફેંકી દીધુ હતુ અને પછી તેને ખુદ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં પોલીસે બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, અને સાથે સાથે તેને આત્મહત્યા કરી તેથી તેના વિરૂદ્ધ પણ અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.