Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું ભારતનું વર્તમાન દેવું જીડીપીના ૮૧.૯ ટકા, ચીનની જેમ નહીં વધે
    India

    ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું ભારતનું વર્તમાન દેવું જીડીપીના ૮૧.૯ ટકા, ચીનની જેમ નહીં વધે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જાેખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જાેખમોને ઘટાડવા માટે મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જાેઈએ. આઈએમએફખાતે રાજકોષીય બાબતોના ડેપ્યુટી ડાયરેક્ટર રૂડ ડી મોઈઝે જણાવ્યું હતું કે ભારતનું વર્તમાન દેવું જીડીપીના ૮૧.૯ ટકા છે. ચીનના કિસ્સામાં આ પ્રમાણ ૮૩ ટકા છે. આ રીતે, બંને દેશો લગભગ સમાન સ્થિતિમાં છે. જાે કે કોરોના મહામારી પહેલા ભારતનું દેવું ૨૦૧૯ માં જીડીપીના ૭૫ ટકા હતું.

    મોઇઝે કહ્યું કે, ભવિષ્યમાં ભારતનું દેવું ચીનની જેમ વધવાની શક્યતા નથી, પરંતુ તે ઘટવાની સંભાવના છે. ૨૦૨૮માં ભારતનું દેવું જીડીપીના ૧.૫ ટકા ઘટીને ૮૦.૪ ટકા થઈ જશે. તેમણે કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ દર ઊંચો છે અને તે આ જાેખમ ઘટાડવામાં મદદ કરશે. ઊંચો વિકાસદર પણ દેવું અને જીડીપી રેશિયો સાથે સંબંધ ધરાવે છે. મોઇઝે કહ્યું કે ભારતમાં કેટલાક રાજ્યો પર ઘણું દેવું છે. તેમણે વ્યાજના ભારે બોજનો સામનો કરવો પડે છે. આ એક પરિબળ છે જે ભારત માટે પણ જાેખમી છે. જાે કે, આ જાેખમોને પહોંચી વળવા માટે ભારત જે રીતે રાજકોષીય સશક્તિકરણનો ઉપયોગી રીતે સમર્થન આપી શકે છે તે પૈકી એક રીત ટેક્નિકલ પ્રણાલીને મજબૂત કરવી છે.

    આઈએમએફઅધિકારીએ કહ્યું કે, ભારતમાં ૨૦૨૩માં રાજકોષીય ખાધ ૮.૮ ટકા રહી શકે છે. તેનો મોટો હિસ્સો વ્યાજ ખર્ચને કારણે છે, કારણ કે ભારત તેના દેવા પર વધુ વ્યાજ ચૂકવે છે, જે જીડીપીના ૫.૪ ટકા છે. પ્રાથમિક ખાધ ૩.૪% રહેવાથી રાજકોષીય ખાધ ૮.૮% સુધી પહોંચશે. પૂર્વ આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે મજબૂત માગ અને નિકાસના આધારે ભારત ૨૦૫૦ સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.