Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાટા પરથી ટ્રેન ઉતરી ગયા બાદનાં કરુણ વીડિયો આવ્યા સામે બિહારના બક્સર રેલ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યા
    India

    પાટા પરથી ટ્રેન ઉતરી ગયા બાદનાં કરુણ વીડિયો આવ્યા સામે બિહારના બક્સર રેલ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગઇકાલે રાત્રે એક મોટા સમાચાર બિહારના બક્સરથી સામે આવ્યા છે, જ્યાં નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી કામાખ્યા ધામ જતી નોર્થ એક્સપ્રેસના અકસ્માતમાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં લગભગ ૮૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. સવાર સુધીમાં મળતી માહિતી મુજબ, ટ્રેનના ૨૧ બોગી ખરાબ રીતે પાટા પરથી ઉતરી ગયા હતા. આ કોચમાં હજુ પણ ઘણા મુસાફરો પણ અટવાયા છે. જેના કારણે મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગેલા લોકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

    અત્યાર સુધીમાં જિલ્લા મેજિસ્ટ્રેટે પણ ચાર મૃત્યુની પુષ્ટિ કરી છે. રાહત કાર્યમાં લાગેલા લોકોએ માહિતી આપી હતી કે ૫૦-૫૨ લોકો ઘાયલ થયા છે. પટનાથી દ્ગડ્ઢઇહ્લની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બક્સર ઉપરાંત અરાહ અને પટનાથી પણ ડૉક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ સાથે રવાના થઈ ગઈ છે. આ દરમિયાન બક્સરના સાંસદ અશ્વિની ચૌબે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ પટના એઈમ્સના ડાયરેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગંભીર દર્દીઓને સીધા પટના એઈમ્સમાં લઈ જવામાં આવશે. આ દુર્ઘટના અંગે બક્સરના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, ‘મને આના સમાચાર મળતા જ મેં તુરંત જ રેલવે મંત્રી, દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, બિહારના મુખ્ય સચિવ, જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરેને જાણ કરી હતી. હું લોકોને અપીલ કરીશ કે મોટી સંખ્યામાં આવે અને પીડિતોને મદદ કરે. આ ઘટનાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. ટ્રેન નંબર ૧૨૫૦૬ આનંદ વિહાર (ટી) – કામાખ્યા ઉત્તરપૂર્વ એક્સપ્રેસ આજે લગભગ ૨૧-૫૩ કલાકે બિહારના બક્સર જિલ્લામાં રઘુનાથપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. પૂર્વ મધ્ય રેલ્વેના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ પહેલેથી જ તબીબી ટીમ સાથે અકસ્માત સ્થળ પર છે. ટ્રેન ૧૨૫૦૬ પાટા પરથી ઉતરી ગઇ હતી. જરૂરિયાતમંદ લોકો આ હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી શકશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.