Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો ડેન્ગ્યુનો આતંકઃ ૩ દિવસમાં ૨ દર્દીઓ મોતને ભેટ્યાં
    Gujarat

    અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો ડેન્ગ્યુનો આતંકઃ ૩ દિવસમાં ૨ દર્દીઓ મોતને ભેટ્યાં

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. ત્યારે ૮ દિવસમાં ડેન્ગ્યુનાં ૧૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ડેન્ગ્યુનાં કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યંિ થયું છે. ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી ૨ દર્દીઓનાં મૃત્યું થયા છે. ત્યારે ૧૦ દિવસની ડેન્ગ્યુની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે.

    આ બાબતે એએમસીનાં આરોગ્ય અધિકારી ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસ બાબતે સાદા મેલેરિયાનાં ૧૨ કેસ, ડેન્ગ્યુનાં ૧૧૦ કેસ અને ચિકનગુનિયાનાં ૫ કેસ નોધાવા પામ્યા છે. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય કેસ અટકાવવા માટે ઈન્ટરડોમીસ્ટીક એક્ટિવીટી અને ફોગિંગની એક્ટીવીટી મુખ્ય કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે આગળનાં બે-ત્રણ મહિનાની સરખામણી કરીએ તો જુલાઈ માસ દરમ્યાન ડેન્ગ્યુનાં ૨૦૧ કેસ રિપોર્ટ થયેલા હતા. ઓગસ્ટ માસ દરમ્યાન કુલ ૮૦૫ કેસ, સપ્ટેમ્બર માસ દરમ્યાન કુલ ૭૦૮ કેસ અને ઓક્ટોમ્બર માસ દરમ્યાન કુલ ૧૧૦ કેસ અત્યાર સુધી નોંધાયેલ છે. હાલ કોર્પોરેશનમાં આવેલ એલજી હોસ્પિટલમાં ૨૬ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.