Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પંચાયતની ચૂંટણી પહેલાં પ.બંગાળમાં અવિરત હિંસા કૂચબિહારના દિનહાટામાં મમતાની રેલી બાદ હિંસા
    India

    પંચાયતની ચૂંટણી પહેલાં પ.બંગાળમાં અવિરત હિંસા કૂચબિહારના દિનહાટામાં મમતાની રેલી બાદ હિંસા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પંચાયત ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો જાેવા મળ્યા હતા. કૂચબિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ અહીં હિંસા ફેલાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અહીં ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીએમસીના એક કાર્યકરનું ગોળી વાગવાના કારણે મોત પણ થયું હતું. સાથે અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયાના અહેવાલો અમલી રહ્યા છે.બંગાળમાં ૮મી જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન પહેલા નોમિનેશન દરમિયાન રાજ્યભરમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હિંસાની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે.
    મળતી માહિતી અનુસાર, આજે સવારે દિનહાટાના જરીધલ્લામાં આ હિંસા ફેલાઈ હતી. અહીં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ પછી ફાયરિંગ પણ થયું હતું. મળતી માહિતી મુજબ ફાયરિંગના કારણે ૫ લોકો ઘાયલ થયા છે. તેમાંથી એક બાબુ હક મૃત્યુ પામ્યો છે. આ સ્થળ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદની સૌથી નજીક છે. અહીં પહોંચવાનું બોટ એકમાત્ર સાધન છે. જાે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.એટલું જ નહીં, આ ઘટનામાં સ્થાનિક નેતાઓ દ્વારા બાંગ્લાદેશી ગુનેગારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. જાેકે હવે સ્થિતિ કાબુમાં છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.