Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રિઝર્વ બેન્કે લોકોને નોટો બદલવામાં રાહત આપી રૂપિયા ૨૦૦૦ની નોટો હવે ૭ ઓક્ટોબર સુધી બદલી શકાશે
    India

    રિઝર્વ બેન્કે લોકોને નોટો બદલવામાં રાહત આપી રૂપિયા ૨૦૦૦ની નોટો હવે ૭ ઓક્ટોબર સુધી બદલી શકાશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી જેમાં હવે આરબીઆઈ લોકોને થોડી રાહત આપી સમયગાળાને વધાર્યો છે. આરબીઆઈએ ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૦૭ ઑક્ટોબર ૨૦૨૩ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. તમારી પાસે પડેલી ૨૦૦૦ રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. આરબીઆઈએ ૧૯ મે, ૨૦૨૩ માં ૨૦૦૦ રૂપિયાની નોટને સર્ક્‌યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેમાં હવે સાત દિવસનો વધારો કર્યો છે.

    વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દેશમાં ૨૦૦૦ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં ૨૦૦૦ની ૩૩,૬૩૦ લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત ૬.૭૨ લાખ કરોડ રૂપિયા હતી. ૨૦૨૧માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ ર્નિણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની.

    સરકારે ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી ૨ હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.