Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી
    India

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનના ભીલવાડામાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં અવતરણ મહોત્સવના ઉપલક્ષ્યમાં જે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મંદિરના દાનપાત્રમાં કોઈ કવર નહીં પરંતુ નોટ નાખ્યા હતા. એવો ભાજપે દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે મંદિરના પૂજારીએ એક વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના દાનપાત્રમાં એક કવર નાખ્યું હતું અને તે જ્યારે ૯ મહિના બાદ ખોલવામાં આવ્યું તો તેમાંથી ૨૧ રૂપિયા નીકળ્યા હતા. દાનપાત્રમાંથી અન્ય બે કવર પણ નીકળ્યા હતા. એકમાં ૧૦૧ રૂપિયા અને બીજામાં ૨૧૦૦ રૂપિયા હતા. જાે કે પૂજારીના આ દાવાને ભાજપે ખોટો ગણાવ્યો છે.

    ભાજપનું કહેવું છે કે ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં પ્રાગટ્ય દિવસ પર પીએમ મોદી માલાસેરી ડુંગરી દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી દ્વારા દાનપાત્રમાં નાખવામાં આવેલા કવરમાં ૨૧ રૂપિયા હોવાની વાત સામે આવી પરંતુ પાર્ટી દ્વારા જે નવો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે તેમાં જાેવા મળી રહ્યું છે કે પીએમ મોદી દાનપાત્રમાં કવર નહીં પરંતુ નોટ નાખી રહ્યા છે.
    નોંધનીય છે કે હાલમાં માલાસેરી ડુંગરીના પૂજારી હેમરાજ પોસવાલે મીડિયાની સામે જ દાનપાત્રમાંથી કવર ખોલની જણાવ્યું હતું કે સફેદ કવર પીએમ મોદીએ દાનપાત્રમાં નાખ્યું હતું. જેમાંથી ૨૧ રૂપિયા નીકળ્યા. મંદિરના પૂજારીનો વીડિયો સામે આવ્યા બાદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને રાજસ્થાન બીજ નિગમ અધ્યક્ષ ધીરજ ગુર્જરે કહ્યું હતું કે પીએમ મોદીએ ભગવાન શ્રી દેવનારાયણજીના ૧૧૧૧માં પ્રાગટ્ય દિવસ પર દેવધામ ભીલવાડાને કશું આપ્યું નહીં.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.