Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»EDને આ કૌભાંડમાં મની લોન્ડરિંગની શંકા છે ગેહલોત સરકારના પ્રધાનના ઘરેથી EDએ દરોડા પાડ્યા
    India

    EDને આ કૌભાંડમાં મની લોન્ડરિંગની શંકા છે ગેહલોત સરકારના પ્રધાનના ઘરેથી EDએ દરોડા પાડ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનના મધ્યાહન ભોજન કૌભાંડમાં ફસાયેલા ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ યાદવના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે લગભગ ૧૫ કલાક સુધી મંત્રીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, તેમના પુત્રોના ફોન ઈડ્ઢ દ્વારા તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે, કોટપુતલીમાં મંત્રીના આવાસની ચાવી ન હોવાના કારણે, ઈડ્ઢએ યાદવના ઘરના કબાટના લોકર તોડી નાખ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.

    મની લોન્ડરિંગ કનેક્શનની શંકાને કારણે ઈડ્ઢ અધિકારીઓ હવે રાજેન્દ્ર યાદવના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. EDને શંકા છે કે રાજસ્થાનમાં ચાલી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં મની લોન્ડરિંગ થયું છે. આમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવનો હાથ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે રાજેન્દ્ર યાદવ પાસે દિલ્હી, ગુરુગ્રામ અને ઉત્તરાખંડમાં પ્લોટ છે. રાજેન્દ્ર યાદવ કોટપુતલીથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. પ્રથમ વખત મંત્રી બન્યા છે. રાજેન્દ્ર યાદવ જયપુર ગ્રામીણથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગૃહ રાજ્યમંત્રી યાદવની જનતા ઉપર સારી પકડ છે.

    યાદવ પરિવાર પાસે શિક્ષણ, ફૂડ સપ્લાય વગેરે સંબંધિત વ્યવસાયો છે. રાજેન્દ્ર યાદવની કોટપુતલીમાં રાજસ્થાન ફ્લેક્સિબલ પેકેજિંગ ફેક્ટરી નામની કંપની પણ છે. કંપનીનું સંચાલન યાદવના પુત્ર મધુર યાદવ દ્વારા કરવામાં આવે છે. જ્યારે, રાજેન્દ્ર યાદવના ગુરુગ્રામ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ફૂડ પેકેજિંગ પ્લાન્ટ છે. જે તેમના પિતાના સમયથી છે.કોંગ્રેસ દ્વારા ઈડીના દરોડાની ઘટનાનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસનું કહેવું છે કે બદલાની ભાવનાથી તેમના મંત્રી વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.