Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મપ્રમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ ભાજપ પર ભારે બુદનીમાં ભાજપના ૧૫૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જાેડાશે
    India

    મપ્રમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ ભાજપ પર ભારે બુદનીમાં ભાજપના ૧૫૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જાેડાશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્ય પ્રદેશમાં પક્ષપલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે. રોજ કોઈકને કોઈક બીજેપી નેતા-કોંગ્રેસ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે. આજે બુંદની વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે.

    મધ્યપ્રદેશમાં પક્ષપલટાની રાજનીતિમાં આજે કોંગ્રેસ માલવા-મહાકૌશલ ક્ષેત્રમાં ભાજપમાં ભંગાણ પાડવા જઈ રહી છે. પક્ષપલટાના સિલસિલામાં આજે બીજેપીથી અસંતુષ્ટ નેતા અને કાર્યકર્તા પ્રેદશ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે. પીસીસી ચીફ કમલનાથ મહાકૌશલ, નર્મદાપુરમ અને માલવા વિસ્તારના અસંતુષ્ટ ભાજપના સભ્યોને પીસીસી કાર્યાલયમાં કોંગ્રેસની સદસ્યતા અપાવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની બુદની વિધાનસભામાંથી કોંગ્રેસની સદસ્યતા લઈ રહેલા ભાજપના કાર્યકરો-નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે જેનાથી દુઃખી થઈને તેઓ કોંગ્રેસમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે. બુદનીના ભાજપના નેતા રાજેશ પટેલના જણાવ્યા અનુસાર તેઓ ૧૫૦૦ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જાેડાવા જઈ રહ્યા છે.

    ભાજપે એક મહિના પહેલા જ પોતાના ૩૯ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આ નામોની જાહેરાત બાદથી ભારતીય જનતા પાર્ટીમાં હોબાળો મચી ગયો છે. અત્યાર સુધીમાં અનેક નેતાઓ તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. સદસ્યતા ગ્રહણ કરનારાઓમાં સૌથી વધુ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે બીજેપીમાં આવેલા નેતાઓ સામેલ છે, જેઓ ઘર વાપસી કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.