Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અંબાજીમાં મેળાની તડામાર તૈયારી અંબાજીમાં યાત્રિકો માટે રહેવા અને જમવા માટેના ડોમ તૈયાર
    Gujarat

    અંબાજીમાં મેળાની તડામાર તૈયારી અંબાજીમાં યાત્રિકો માટે રહેવા અને જમવા માટેના ડોમ તૈયાર

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    યાત્રાધામ અંબાજીમાં મેળાને લઈને સબંધિત વિભાગ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી તા. ૨૩ થી લઈ ૨૯ સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીના આંગણે ભવ્યાથી ભવ્ય મેળો યોજાશે. જેમાં લગભગ ૪૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સહભાગી બને તેવા સંજાેગો વર્તાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી રાજ્યકક્ષાના મેળાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.
    અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય પણ ચૂક ન રહે તે માટે તંત્ર દિવસ રાત એક કરી કામગીરી કરી રહ્યું છે. રહેવા જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકિપિંગ, અગ્નિશામકના સાધનો સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામા આવી છે. સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગ બેરંગી રોશનીના શણગાર કરતા માતાજીના મંદિરની શોભા ઝગજગારા મારી રહી છે.

    યાત્રિકોને સહેજ સમસ્યા ન આવે તે માટે ડિજિટલ પહેલ પણ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઊઇ કોડ લોન્ચ કરવામાં આવશે. જે ઊઇ કોડની મદદ વડે યાત્રિકોને રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન આંગળીના ટેરવે શૉધી શકશે. તેમજસફેદ કલરના લીધે ચપ્પલ વિના પણ યાત્રિકોને ચાલવામાં અગવડતા ન પડે તે માટે ગબ્બર પર્વતના પગથિયા પર સફેદ કલર કરવા સહિતની કામગીરી પણ કરાઈ છે. આ ઉપરાંત ૫૦૦ થી વધુ સફાઈ કામદારો પણ જાેડાઈ તેવુ આયોજન કરાયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.