Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»એશિયાકપની ૧૭ સપ્ટેમ્બરે ફાઈનલ મેચ વરસાદને લીધે ફાઈનલ ન થાય તો ટ્રોફી બે દેશોને અપાશે
    Cricket

    એશિયાકપની ૧૭ સપ્ટેમ્બરે ફાઈનલ મેચ વરસાદને લીધે ફાઈનલ ન થાય તો ટ્રોફી બે દેશોને અપાશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એશિયા કપ ૨૦૨૩ના અધિકાર કોઈપણ રીતે પાકિસ્તાન પાસે છે. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે એશિયા કપ ફરીથી હાઇબ્રિડ મોડલમાં યોજાઇ રહ્યો છે. જ્યાં એશિયા કપની મેચો પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં પણ રમાઈ રહી છે.ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમી રહ્યું છે. એશિયા કપની કુલ ૧૩ મેચોમાંથી પાકિસ્તાન ૪ મેચનું આયોજન કરી રહ્યું છે જ્યારે શ્રીલંકા ૯ મેચોની યજમાની કરી રહ્યું છે. ફાઈનલ પણ ૧૭ સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાેકે, આ સમયે શ્રીલંકામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેની અસર એશિયા કપ પર પણ પડી છે.

    શ્રીલંકાની લગભગ દરેક મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો છે. ભારતની બંને મેચ વરસાદથી ગ્રસ્ત રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણેરદ્દ થઈ ગઈ હતી. તો એમાં કોઈ શંકા નથી કે મેઘરાજાએ એશિયા કપની મજા બગાડી નાખી છે. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે જાે ફાઈનલમાં પણ વરસાદ પડશે તો મેચનું પરિણામ કેવી રીતે આવશે. અથવા જાે ૧૭મી સપ્ટેમ્બરે વરસાદ પડે અને એક પણ બોલ ફેંકવામાં ન આવે તો પછીના દિવસે મેચ રિઝર્વ ડે તરીકે રમાશે કે નહીં?

    તમને જણાવી દઈએ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે નથી. એટલે કે, જાે ૧૭ સપ્ટેમ્બરના રોજ ફાઈનલના દિવસે વરસાદ પડે અને મેચ ન થઈ શકે. તેથી ફાઇનલિસ્ટ બે ટીમો વચ્ચે ટ્રોફી વહેંચવામાં આવશે.એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ વખત ફાઈનલ મેચ રમાઈ નથી.
    આ પોતાનામાં જ ચોંકાવનારી બાબત છે. પરંતુ આ વખતે તમામ ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવી જાેઈએ જેથી ચાહકોને બંને ટીમો વચ્ચે બીજી કઠિન મેચ જાેવાની તક મળે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.