Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દિલ્હીમાં જી૨૦ સમિટના ડિનરને લઈને વિવાદ ખડગે-સોનિયાને આમંત્રણ ન અપાયા, મનમોહનને બોલાવાયા
    India

    દિલ્હીમાં જી૨૦ સમિટના ડિનરને લઈને વિવાદ ખડગે-સોનિયાને આમંત્રણ ન અપાયા, મનમોહનને બોલાવાયા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દલ્હીમાં જી-૨૦ સમિટ શરુ થવા માટે થોડા કલાકો જ બાકી છે ત્યારે જી-૨૦ના ડિનરમાં કેબિનેટ મંત્રી, વિદેશી પ્રતિનિધી સાંસદો અને મંત્રીઓ સહિત દેશના કેટલાક પૂર્વ સીનિયર નેતાઓ પણ સામેલ થશે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. આ સાથે સોનિયા ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ નથી. આ પહેલા બુધવારે કોંગ્રેસના એક સુત્રએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનર માટે કેટલાક કેન્દ્રિય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ ખડગેને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.

    તેમણે વધુમાં કહ્યું કે ડિનર માટે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જી-૨૦ સમિટ આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં આવતીકાલથી બે દિવસ સુધી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે.જી-૨૦ સમિટના ડિનરના આમંત્રણ પત્ર પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે જેના પર રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.આ બાબતે મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર પ્રહાર કરતા એક કવિતા શેર કરી હતી. તેમણે લખ્યુ હતું કે મોદી સરકાર ગઠબંધન ઈન્ડિયાથી ડરી ગયા છે. ભારત અને ઈન્ડિયાબંને શબ્દો સંવિધાનના અટૂટ અંગ છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ એક કવિતા પણ શેર કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.