Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»૨૧ વર્ષનો જસકરણ સિંહ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે ૭ કરોડ જીતેલ વ્યક્તિનાં હાથમાં પૂરા ૫ કરોડ પણ આવતા નથી
    Entertainment

    ૨૧ વર્ષનો જસકરણ સિંહ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે ૭ કરોડ જીતેલ વ્યક્તિનાં હાથમાં પૂરા ૫ કરોડ પણ આવતા નથી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના મેગા શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈને કરોડો કમાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. કેટલાક લોકો તેમાં ભાગ લઈ શકે છે અને ઈનામની રકમ પણ મેળવી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે તમને ખરેખર કેટલી ઈનામની રકમ મળે છે? જીતેલા પૈસા પર કેટલો આવકવેરો ભરવો પડશે? પંજાબના રહેવાસી જસકરણે દ્ભમ્ઝ્રની ૧૫મી સીઝનમાં ૧ કરોડ રૂપિયા જીત્યા છે. જાે કે, તે ૭ કરોડના છેલ્લા પ્રશ્ન પર અટવાઈ ગયો હતો અને તેણે ૧ કરોડ લઈને રમત બંધ કરવાનું વધુ સારું માન્યું હતું. પરંતુ જસકરણને ૧ કરોડ રૂપિયાની ઈનામની રકમમાંથી કેટલી રકમ મળી હશે અને જાે તેણે ૭ કરોડ રૂપિયા જીત્યા હોત તો તેના બેંક ખાતામાં કેટલી રકમ આવી હોત? એ પ્રશ્નનો જવાબ જાણવામાં પણ ઘણાને રસ હોય છે. ઇન્કમ ટેક્સનાં કાયદા મુજબ આપણે ઈનામની રકમ પર પણ ટેક્સ ભરવો પડે છે. હવે તમે વિચારતા હશો કે જે વ્યક્તિએ ઈનામની રકમ જીતી છે તેના સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે, તો તે ખોટું છે. આવકવેરા વિભાગ આ નાણાં પર કોઈપણ સ્લેબને બદલે સીધો ૩૦% ટેક્સ વસૂલે છે. આટલું જ નહીં, એકત્ર કરાયેલા ટેક્સ પર ૪ ટકાનો સેસ પણ લેવામાં આવે છે.

    પંજાબના જસકરણ સિંહ દ્ભમ્ઝ્રની ૧૫મી સિઝનના પ્રથમ કરોડપતિ વિજેતા બન્યો હતો. તેણે અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપીને ૧ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું હતું. પરંતુ, લોકોને ૧ કરોડ રૂપિયામાંથી ટેક્સની રકમ બાદ કર્યા પછી કેટલા પૈસા મળશે તેમાં પણ રસ હોય છે. માટે જણાવી દઈએ કે જસકરણે ૧ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે, પરંતુ તે બધા પૈસા તેના હાથમાં આવવાના નથી. જાે આપણે આવકવેરાના નિયમો વિશે વાત કરીએ, તો જસકરણે જીતેલી ૧ કરોડની રકમ પર ૩૦ ટકા એટલે કે રૂ. ૩૦ લાખનો ડાયરેક્ટ ટેક્સ ચૂકવવો પડશે. એટલું જ નહીં, તમને ઈનામની રકમ પર રાહત નથી મળતી, પરંતુ જાે તમારી જીતની રકમ ૫૦ લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે કાપેલા ટેક્સ પર ૧૦ ટકા સરચાર્જ પણ ચૂકવવો પડશે. આ સરચાર્જ ૧ કરોડથી વધુ રકમ પર ૧૫ ટકા રહે છે. આ રીતે, તમે સરચાર્જ તરીકે રૂ. ૩૦ લાખના ૧૦% એટલે કે રૂ. ૩ લાખ પણ ચૂકવશો. તો એ હિસાબે ૭ કરોડ રૂપિયા પર ૨ કરોડ ૧૦ લાખ રૂપિયા તો ટેક્સ ચૂકવી દેવો પડે છે. એ ૨ કરોડ ૧૦ લાખ રૂપિયામાં પણ ૧૫ ટકા સરચાર્જ ચૂકવવો પડે એટલે કે ૩ લાખ ૧૫ હજાર બીજા ચૂકવવા પડે. એમ જાેઈએ તો ૭ કરોડ જીતેલ વ્યક્તિનાં હાથમાં પૂરા ૫ કરોડ પણ આવતા નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.