Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પર મમતાના આક્ષેપ રાજ્યપાલ ડિસ્ટર્બ કરશે તો યુનિ.ઓનું ફંડિંગ અટકાવવા મમતાની ધમકી
    India

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પર મમતાના આક્ષેપ રાજ્યપાલ ડિસ્ટર્બ કરશે તો યુનિ.ઓનું ફંડિંગ અટકાવવા મમતાની ધમકી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો હતો. શિક્ષક દિવસના અવસરે ધન ધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ યુનિવર્સિટીને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જાે રાજ્યપાલ આ રીતે જ ડિસ્ટર્બ કરતા રહેશે તો રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓનું ફન્ડિંગ અટકાવી દેવામાં આવશે. મમતાએ કહ્યું કે જે યુનિવર્સિટી રાજ્યપાલના આદેશનું પાલન કરશે રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ આર્થિક નાકાબંધી કરી દેશે. તેમણે રાજભવન સામે ધરણાં પર બેસવાની પણ ચેતવણી ઉચ્ચારી હતી.

    મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે રાજ્યપાલ ખુદને મુખ્યમંત્રી કરતા પણ મોટા સમજી રહ્યા છે. ચાલો જાેઈએ કોણ કોના પર ભારે પડે છે. મમતાએ કહ્યું કે ભલે રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ છે પણ રાજ્ય સરકાર ફન્ડિંગ કરે છે. હું ફંડ અટકાવી દઈશ. જાેઉ છું કોણ તમને રૂપિયા આપે છે. મમતાએ કહ્યું કે અડધી રાતે જાદવપુર યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કરાઈ. રવિન્દ્ર ભારતીમાં એક જજને કુલપતિ બનાવાયા. આ સંપૂર્ણપણે શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કરવાનું કાવતરું છે. અમે યુનિવર્સિટીથી સંબંધિત કાયદામાં સુધારા કરી રાજ્યપાલ પાસે સંમતિ માટે મોકલ્યા હતા પણ આજ સુધી કોઈ સંમતિ અપાઈ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.