Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રેલવે મંત્રાલય ૫૦૮ રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે પ્રયાગરાજના રેલવે સ્ટેશનના વિકાસમાં કુંભ પડકારજનક
    India

    રેલવે મંત્રાલય ૫૦૮ રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે પ્રયાગરાજના રેલવે સ્ટેશનના વિકાસમાં કુંભ પડકારજનક

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રેલવે મંત્રાલય દેશભરમાં ૫૦૮ રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે. આ તમામ સ્ટેશનો ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. મુસાફરોને ટ્રેન પકડવામાં મુશ્કેલી ન પડે અને તેમને વધુમાં વધુ સુવિધા મળે તે માટે રેલવે આ સ્ટેશનો ડેવલપ કરી રહ્યું છે, જાેકે આ તમામ સ્ટેશનોમાંથી રેલવે માટે એક સ્ટેશન ડેવલપ કરવું સૌથી પડકારજનક બન્યું છે… આ બાબતને ખુદ રેલવે મંત્રીએ સ્વિકારી અને તેનું કારણ પણ જણાવ્યું છે… સારી વાત એ છે કે, પડકારજનક સ્ટેશન પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર આમ તો તમામ સ્ટેશનો ડેવલપ કરવા પડકારજનક હોય છે… કારણ કે વર્તમાન સમયમાં તે સ્ટેશનો પર ટ્રેનું સંચાલન થતું હોય છે… કંટ્રોલ સિસ્ટમ હોય છે… જંકશન બોક્સ, કેબલ, ઓપ્ટીકલ ફાઈબર સંબંધીત ઉપકરણો પણ ધ્યાન રાખવું પડે છે… ત્યારે આ તમામ સમસ્યાઓમાં નડતર બન્યા વગર સ્ટેશનોને ડેવલપ કરવું પડકારજનક હોય છે… જાે ડેવલપ થઈ રહેલા સ્ટેશન પર એક સાથે લાખોની ભીડ પહોંચે તો ખરેખર, સૌથી મોટા પડકારની વાત છે… આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડને મેનેજ પણ કરવાનું હોય છે.

    અહીં વાત ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજ રેલવે સ્ટેશનની થઈ રહી છે… આ સ્ટેશનને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.જાેકે આ દરમિયાન વર્ષ ૨૦૨૫માં કુંભ શરૂ થશે… દેશભરના કરોડો ભક્તો અહીં કુંભ પર આવશે… ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ ગત કુંભમાં ૨૪ કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે ૪૮ કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે.રેલવે મંત્રાલય અનુસાર કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્ટેશન પર એટલે મોટો વેઈટિંગ એરિયા બનાવવા પડશે કે, લોકો અહીં ટ્રેનોની રાહ જાેઈ શકે… તેનાથી ડેવલપ કામગીરીમાં નડતર ન થાય અને તેમને અસુવિધા પણ ન થાય… ઉપરાંત નિર્માણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પ્લેટફોર્મ પર ટ્રેન પકડવા આવશે… એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટે ફુટઓવર બ્રિજનો પણ ઉપયોગ કરશે, તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે… કારણ કે, ડેવલપ થઈ રહેલા કોઈપણ સ્ટેશન પર એક સાથે લાખોની સંખ્યામાં ભીડ આવતી નથી, તેથી રેલવે મંત્રાલય પ્રયાગરાજ રેલવે સ્ટેશનના ડેવલપની કામગીરીને પડકારજનક કહી રહી છે…

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.