Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વોટ્‌સએપ પર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા મેસેજનો મામલો સાઈબર ક્રાઈમે, ખોટા મેસેજ મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
    Gujarat

    વોટ્‌સએપ પર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા મેસેજનો મામલો સાઈબર ક્રાઈમે, ખોટા મેસેજ મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં એક યુવાનને વોટ્‌સએપ ગ્રુપમાં ખોટો મેસેજ મોકલવો ભારે પડ્યો છે. આ યુવાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારે ગ્રુપમાં મેસેજ મોકલ્યો હતો. આ અંગે અમદાવાદના સાઈબર ક્રાઈમે, વાસ્તવિકતાથી જાેજનો દુર એવા ખોટા મેસેજ મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    સોશિયલ મીડિયામાં આજકાલ, કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વિનાના અવનવા મેસેજ આવતા રહે છે. આવો જ એક મેસેજ વોટ્‌સએપ ગ્રુપમાં મોકલવો અમદાવાદના યુવાનને ભારે પડ્યો છે. વોટ્‌સએપ ગ્રુપમાં તથ્યતા ચકાસ્યા વિના ખોટો અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવો મેસેજ મોકલવા બદલ, અમદાવાદ સાઈબર ક્રાઈમ સેલે એક યુવાન સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    બનાવની વિગત એવી છે કે, બ્રેકિંગ ન્યૂઝ નામના એક વોટ્‌સએપ ગ્રુપમાં, એક યુવાને ખોટો મેસેજ મોકલ્યો હતો. જેમા તેણે જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં પથ્થરમારો અને આગચંપી થઈ છે. આવી કોઈ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બની ના હોવા છતા મેસેજ કરનાર સામે સાઈબર ક્રાઈમ બ્રાંચે કેસ નોંધીને બ્રેકિંગ ન્યૂઝ નામના વોટ્‌સએપ ગ્રુપમાં મેસેજ મોકલનાર આગમ શાહની અટકાયત કરી હતી.સાઈબર ક્રાઈમે, આગમ શાહ સામે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારની કામગીરી કરી હોવાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આગમ શાહ વિરુદ્ધ ગુના નોંધાઇ ચુક્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.