Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ૧ તૈયાર આદિત્ય એલ-૧ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે
    India

    ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ૧ તૈયાર આદિત્ય એલ-૧ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, સૂર્ય મિશન આદિત્ય એલ૧ તૈયાર છે. ગઈકાલે ઈસરોએ જાહેરાત કરી હતી કે, આ મિશન ૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. પૃથ્વીથી સૂર્યનું અંતર ૧.૪ મિલિયન કિલોમીટર છે, એટલે કે તે ચંદ્ર કરતાં ૪ ગણું વધુ દૂર છે. સૂર્ય પર ખૂબ ગરમી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ‘મિશન સન’ મિશન મૂન કરતાં વધુ મુશ્કેલ હશે, આ માટે ઈસરોએ અનેક ગણી વધુ તૈયારીઓ કરવી પડશે. આવી સ્થિતિમાં, સૂર્યના કદ અને તાપમાન જેવી બાબતોને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ હશે. તો ચાલો આ તમામ પ્રશ્નોના સમાધાન આપણે અહીં મેળવીશું.આદિત્ય એલ-૧ એ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. તેને લોન્ચ કરીને ભારત સૌર વાતાવરણની ગતિશીલતા એટલે કે ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરવા માંગે છે. આ સાથે, તે કોરોનામાંથી મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થવાના રહસ્યો પણ ખોલવા માંગે છે. વધુમાં, આદિત્ય એલ-૧ દ્વારા, ઈસરો આંશિક રીતે આયોનાઇઝ્‌ડ પ્લાઝ્‌માના ભૌતિકશાસ્ત્ર અને અવકાશ હવામાનની ગતિશીલતા પર માહિતી એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.

    તેની સાથે જ, તે સૌર વાતાવરણમાંથી પ્લાઝ્‌મા અને ચુંબકીય ક્ષેત્રોના મોટા પાયે વિસ્ફોટનો અભ્યાસ કરવાનો ઇરાદો ધરાવે છે.આદિત્ય એલ-૧ લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર સ્થિત સૂર્યના રહસ્યો જાહેર કરશે. લેંગ્રેસ પોઈન્ટ એટલે કે એલ-૧ સુધી પહોંચવામાં ચાર મહિના લાગશે. આદિત્ય એલ-૧ને લેંગ્રેસ પોઈન્ટ નજીક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. લેંગ્રેસ બિંદુ એ અવકાશમાં એવા બિંદુનો ઉલ્લેખ કરે છે જ્યાં સૂર્ય અને પૃથ્વી જેવા બે અવકાશ સંસ્થાઓના ગુરુત્વાકર્ષણ બળને કારણે આકર્ષણ અને પ્રતિકૂળતાનું ક્ષેત્ર ઊભું થાય છે. તેનું નામ ઇટાલો-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જાેસેફ-લુઇસ લેંગરેંજના નામ પરથી રાખવામાં આવ્યું છે.આદિત્ય એલ-૧ સાત પેલોડ સાથે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ પેલોડ્‌સ દ્વારા, ઈસરોને ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર એટલે કે સૂર્યની દૃશ્યમાન સપાટીની બરાબર ઉપરની સપાટી અને કોરોના (સૂર્યનું સૌથી બહારનું પડ)ના અભ્યાસમાં મદદ મળશે.

    ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-૧ને લઈને લોકોના ઉત્સાહને જાેઈને ઈસરોએ એક લિંક જાહેર કરી છે. શ્રીહરિકોટાની લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચ જાેઈ શકે છે. ઈસરોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.આદિત્ય એલ-૧ મિશનનું બજેટ લગભગ ૪૦૦ કરોડ રૂપિયા છે. આદિત્ય એલ-૧નું પ્રોડક્શન ડિસેમ્બર ૨૦૧૯થી શરૂ કરવામાં આવ્યું હતું.ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ બપોરે ૨ઃ૩૫ કલાકે એલવીએમ-૩ મારફતે શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ૨૩ ઓગસ્ટે સાંજે ૬.૦૪ કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. આ સાથે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો છે. આ સાથે ભારતે બીજી મોટી સિદ્ધિ નોંધાવી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જ્યારે ચંદ્રયાન-૩ ચંદ્રના રહસ્યો જાહેર કરશે, તો આદિત્ય એલ-૧ સૂર્યના રહસ્યો વિશ્વને જાહેર કરશે. સૂર્યના રહસ્યો ખુલશે, જેનાથી દુનિયા હજુ અજાણ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.