Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»dhrm bhakti»Sawan Somwar 2025: મહાદેવની કૃપા મેળવવા શ્રાવણ સોમવારના શ્રેષ્ઠ ઉપાયો
    dhrm bhakti

    Sawan Somwar 2025: મહાદેવની કૃપા મેળવવા શ્રાવણ સોમવારના શ્રેષ્ઠ ઉપાયો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 21, 2025Updated:July 21, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Sawan Somwar 2025
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Sawan Somwar 2025: શ્રાવણ સોમવારે કરો આ 5 કામ, મળશે વિશેષ લાભ

    Sawan Somwar 2025: શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે ઉપવાસ રાખીને શિવલિંગનું પૂજન, જળાભિષેક, રુદ્રાભિષેક, મંત્ર જાપ વગેરે કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. એ સાથે શ્રાવણ સોમવારના દિવસે આ 5 કામ કરવાથી પણ વિશેષ લાભ મળે છે.

    Sawan Somwar 2025: આજે 21 જુલાઈએ બીજો શ્રાવણ સોમવારનું વ્રત છે. ત્યારબાદ 28 જુલાઈએ ત્રીજું અને 4 ઑગસ્ટ 2025એ ચોથી અને છેલ્લો શ્રાવણ સોમવારનું વ્રત રહેશે. જયારે 9 ઑગસ્ટે શ્રાવણ માસ સમાપ્ત થશે. શ્રાવણના દરેક સોમવારે આ 5 ઉપાય કરવી ખૂબ લાભદાયી માનવામાં આવે છે.

    1. જળાભિષેક:
    જળાભિષેક ભગવાન શિવની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે, જેના વિના પૂજા અધૂરી ગણાય છે. આ દરમિયાન શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરવો જોઈએ. જળ સાથે તમે તીર્થ જળ, ગંગાજળ, દૂધ, ઘી, દહીં, મધ વગેરેથી પણ અભિષેક કરી શકો છો.

    Sawan Somwar 2025

    2. દીવો પ્રગટાવો:
    શ્રાવણ સોમવારના દિવસે સાંજના સમયે શિવ મંદિરમાં એક દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આથી સુખ અને સમૃદ્ધિ મળે છે. જો તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો સંધ્યાકાળે શિવલિંગ પાસે પણ દીવો પ્રગટાવી શકો છો.

    3. શિવમુઠ્ઠી:
    શ્રાવણ સોમવારે શિવલિંગ પર “શિવમુઠ્ઠી” ચઢાવવી જોઈએ. તેમાં મુખ્યત્વે પાંચ પ્રકારના અનાજ હોય છે — અરહર દાળ, અક્ષત (ચોખા), ઘઉં, તલ અને મૂંગ. શિવમુઠ્ઠી ચઢાવવાથી જીવનની પરેશાનીઓ દૂર થતી હોય છે.

    4. કળશ ભરો:
    શ્રાવણ સોમવારે તાંબાના કળશમાં ગંગાજળ ભરી તેમાં અક્ષત, સફેદ ફૂલો અને ચંદન નાખો અને “ૐ નમઃ શિવાય” મંત્ર જાપ સાથે શિવલિંગ પર અર્પણ કરો.

    5. મંત્ર જાપ:
    શ્રાવણ સોમવારે વ્રત રાખી શકય તેટલો મંત્ર જાપ કરો. ખાસ કરીને આ દિવસે “મહામૃત્યુંજય મંત્ર”નો જાપ કરવો સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે.

    Sawan Somwar 2025

    Sawan Somwar 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Raksha Bandhan 2025: રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને તારીખ જાણો

      July 29, 2025

      Budh Pradosh Vrat 2025: દુર્લભ સંયોગમાં શ્રાવણનો છેલ્લો પ્રદોષ

      July 29, 2025

      Ekadashi in August 2025: ઓગસ્ટમાં એકાદશી ક્યારે આવશે, તારીખ નોંધો

      July 29, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.