Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કલમ ૩૭૦ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું જમ્મુ કાશ્મીરમાં 35A એ ભારતીયોના ત્રણ મૌલિક અધિકારો છીનવ્યા
    India

    કલમ ૩૭૦ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું જમ્મુ કાશ્મીરમાં 35A એ ભારતીયોના ત્રણ મૌલિક અધિકારો છીનવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બંધારણની કલમ ૩૫છ, જેણે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાયમી રહેવાસીઓને વિશેષ અધિકારો આપ્યા હતા, તેણે ખરેખર ભારતના લોકોના તમામ મૂળભૂત અધિકારો છીનવી લીધા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે (૨૮ ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરવાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કલમ 35A જેને ૧૯૫૪ માં રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી. તેણે લોકોને ઓછામાં ઓછા ત્રણ મૂળભૂત અધિકારોથી વંચિત કર્યા હતા. આ ત્રણ મૂળભૂત અધિકારો છીનવી લીધા જેમાં ૧- કલમ ૧૬(૧) હેઠળ સાર્વજનિક નોકરીઓમાં તમામ નાગરિકો માટે અવસરની સમાનતા, ૨- કલમ ૧૯(૧)(એફ) અને ૩૧ હેઠળ મિલકતોનું સંપાદન, ૩- કલમ ૧૯(૧)(ઇ) હેઠળ દેશના કોઈપણ ભાગમાં સ્થાયી થવાનો અધિકારનો સમાવેશ થાય છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે ૧૯૫૪ના બંધારણીય આદેશે જમ્મુ કાશ્મીર માટે ભાગ III (મૂળભૂત અધિકારો સાથે સંબંધિત) લાગુ કર્યો હતો .

    પરંતુ તે જ ક્રમમાં કલમ ૩૫છ બનાવવામાં આવી હતી જેણે ત્રણ ક્ષેત્રોમાં અપવાદ કરીને લોકોના ત્રણ મૂલ્યવાન મૂળભૂત અધિકારો છીનવી લીધા હતા. ચીફ જસ્ટિસની સાથે બેન્ચમાં જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. કલમ ૩૫છ હેઠળ જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યની વિધાનસભાને આવા કાયદા બનાવવાનો અધિકાર મળ્યો જેને અન્ય રાજ્યોના લોકોના સમાનતાના અધિકાર અથવા ભારતીય બંધારણ હેઠળના અન્ય કોઈપણ અધિકારના ઉલ્લંઘનના આધારે પડકારી શકાય નહીં. કલમ ૩૭૦ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કરવાની સાથે 35A પણ રદ કરવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.