Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે કાયદાકીય કાર્યવાહી
    Gujarat

    ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે કાયદાકીય કાર્યવાહી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉમરપાડા તાલુકાના કેવડી ગામના અનાજ કરિયાણાના વેપારી પાસેથી વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની ૨૩૪ બેગનો જથ્થો ઝડપાતા ખેતી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ખેતી અધિકારી (કામરેજ) આર.ટી.બલદાણીયા તથા ખેતી અધિકારી(ઓલપાડ) વી.આર.કોરાટ તથા ખેતી અધિકારી(બારડોલી) એલ.એમ.ઈટાળીયાની સંયુક્ત સ્કોવડ ટીમ દ્વારા ગત તા:૦૧/૦૭/૨૦૨૩ના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે રહેતા અનાજ કરિયાણાના વેપારી ધર્મેશભાઈ જગદીશચંદ્ર મોદી તથા તેના સબંધી જીતેન્દ્રભાઈ હિરાલાલભાઈ મોદીના ઘર નં. ૧૩૯ના ગોડાઉનમાં તથા ઘર નં.૩૪૨ અને ૨૪ ના ગોડાઉનમાં તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની પ્રત્યેકમાં ૪૫ થી ૫૦ કિલોગ્રામ વજનવાળી કુલ ૨૩૪ બેગ જોવા મળી હતી. જેની કુલ કિંમત ૧,૨૮,૭૯૦/- થાય છે.

    બેગોમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો હોવાનું પણ જણાતા તેમજ આ જથ્થા સંદર્ભે સંતોષકારક ખુલાસો ન મળતા ઉમરપાડા ખેતી અધિકારી રાકેશકુમાર લક્ષ્મણભાઈ વસાવાએ તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં કેવડી ગામના ધર્મેશ જગદીશચંદ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેન, પુષ્પાબેન જગદીશચંદ્ર મોદી, જીતેન્દ્ર હિરાલાલ મોદી સહિત આ ખાતરનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા વ્યક્તિઓ/સંસ્થા સામે સરકારના સબસિડીયુકત ખેત વપરાશનું નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર સંગ્રહ અને કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરવા બદલ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેતી વિભાગ દ્વારા આ જથ્થા સંદર્ભે વિભાગીય પ્રાથમિક તપાસ શરૂ હોવાથી જે-તે સમયે ફરિયાદ ન નોંધવતા તા.૨૯મીએ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.