Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે મોદી સરકાર પર નિશાન સાધ્યું ૨૦૨૪માં ભાજપની હાર નક્કી, ED-CBI થી ડરવાની જરૂર નથી
    India

    જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે મોદી સરકાર પર નિશાન સાધ્યું ૨૦૨૪માં ભાજપની હાર નક્કી, ED-CBI થી ડરવાની જરૂર નથી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિપક્ષી એકતાને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમણે કહ્યું કે, તમારે ઈડી અને સીબીઆઈની ચિંતા કરવાની જરૂર નથી. સત્ય સામે સખત લડત આપો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર ટકી શકશે નહીં. પછી મોદીજી અને તેમના સહયોગીઓની તપાસ કરાવી લેજાે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારની આ એજન્સીઓનો તમે હમણા બહાદુરીથી સામનો કરો. ૬ મહિના બાદ તેમની હાર નક્કી છે. ત્યારબાદ સત્તામાં બેઠેલા બીજેપી વાળાની જ તપાસ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કોની તપાસ થશે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી અને તેમના સહયોગીઓની.
    બીજી તરફ ૨૨ જૂને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સત્યપાલ મલિકે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે પોલીસ સ્ટેશનમાંથી ઘણી વખત તેમના પરિવારને છોડાવ્યો હતો. જાે સંજીવ બાલિયાનમાં હિંમત હોય તો તેમણે પાર્ટી છોડીને સર્વાઈવ કરી બતાવે. તાજેતરમાં જ સંજીવ બાલ્યાને મલિક વિશે કહ્યું હતું કે તેણે એવી કોઈ પાર્ટી છોડી નથી જેમાં તેઓ ન ગયા હોય. તેમણે પોતાના રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન પુલવામા અંગે અવાજ ઉઠાવવો જાેઈતો હતો.
    બે દિવસ પહેલા હરિયાણાના સાંપલામાં છોટુરામ મ્યુઝિયમમાં આયોજિત કિસાન કામેરા મહાપંચાયતમાં તેમણે કહ્યું હતું કે, ભાજપને હરાવનારાઓને મત આપો. તે માટે હું પણ પ્રયાસ કરી રહ્યો છું. એટલું જ નહીં પૂર્વ રાજ્યપાલે ખેડૂત નેતા ગુરનામ ચઢૂનીને પણ ૨૦૨૪માં ચૂંટણી લડવા માટેની રણનીતિ તૈયાર કરવા માટે આહ્વાન કર્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.