Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મધ્યપ્રદેશથી ચોંકાવનારી અને માનવતાને શર્મશાર કરતી ઘટના એમ.પીમાં દલિત યુવકની હત્યા, બચાવવા માટે આવી મા તો ચીરહરણ કર્યું
    India

    મધ્યપ્રદેશથી ચોંકાવનારી અને માનવતાને શર્મશાર કરતી ઘટના એમ.પીમાં દલિત યુવકની હત્યા, બચાવવા માટે આવી મા તો ચીરહરણ કર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 27, 2023No Comments4 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્યપ્રદેશથી એક ચોંકાવનારી અને માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના સાગરમાં એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. જ્યારે આરોપી યુવકને બચાવવા પહોંચ્યો ત્યારે તેની માતાને પણ નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાત જાણે એમ છે કે, હકીકતમાં થોડા દિવસો પહેલા આરોપીઓએ મૃતકની બહેનની છેડતી કરી હતી, જેનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ પીડિતાના પરિવાર પર સમાધાનનું દબાણ કરી રહ્યા હતા.
    મધ્યપ્રદેશ સાગર ખુરાઈ દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના બરોડિયા નૌનાગીરનો છે. અહીં ગુરુવારે રાત્રે કેટલાક ગુંડાઓએ એક દલિત યુવકને માર માર્યો હતો. આ તરફ દરમિયાનગીરી કરવા આવેલી મૃતકની માતાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે હત્યા સહિત અન્ય કલમોમાં ૯ નામના અને અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત ૮ આરોપીઓની ધરપકડ કરી છે.

    ઘટનામાં સંડોવાયેલા આરોપી સરપંચ પતિ અને અન્ય ફરાર છે. ઘટનાને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કલેક્ટર દીપક આર્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકના પરિજનોએ ૪૦ કલાક સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા ન હતા. ૧૦ માંગણીઓ પર આશ્વાસન મળતાં પરિજનોએ અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતકના સંબંધીઓએ માંગ કરી હતી કે, આરોપીના ઘરે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે.મૃતકની બહેને કહ્યું કે, ગામના વિક્રમ સિંહ, કોમલ સિંહ અને આઝાદ સિંહ ઘરે આવ્યા હતા. માતાને સમાધાન કરવા કહેવાનું શરૂ કર્યું. પછી તેણે કહ્યું કે, તમને તમારા બાળકોનો જીવને વ્હાલો નથી ? આટલું કહીને તે ધમકી આપીને ચાલ્યો ગયો હતો કે જ્યાં પણ અમને મળશે તેને જાેઇ લેવાની ધમકી આપીને ગયો હતો. આ દરમિયાન અમારો નાનો ભાઈ બસ સ્ટેન્ડ પાસે શાકભાજી લેવા ગયો હતો. જ્યાં રસ્તામાં આરોપીઓ તેની સાથે મારપીટ કરવા લાગ્યા. જ્યારે તે દોડવા લાગ્યો ત્યારે કેટલાક લોકોએ તેને પકડી લીધો. તેની સાથે ખૂબ મારપીટ કરી હતી.

    મૃતકની બહેને વધુમાં જણાવ્યું કે, જ્યારે માતા બજાર તરફ ગઈ ત્યારે તેણે જાેયું કે તે તેના ભાઈ સાથે લડી રહ્યો હતો, તેથી માતા તેને બચાવવા આવી. આરોપીઓએ માતાને પણ માર માર્યો હતો. અમે ગયા ત્યારે મેં મોબાઈલ કાઢ્યો અને પોલીસને ફોન કરવા લાગ્યો, પછી મોબાઈલ પડાવી લીધો હતો. આ લોકો મારી સાથે પણ લડવા લાગ્યા. મેં હાથ જાેડીને પગ પર પડ્યા અને કહ્યું મારા ભાઈને છોડી દો, તે છોડ્યો નહીં યુવકની બહેને કહ્યું કે આરોપીઓએ ભાઈ અને માતાને ખૂબ માર્યા. પછી હું ત્યાંથી ભાગી જતાં તેઓ મારી પાછળ પડ્યા. હું જઈને જંગલમાં સંતાઈ ગઇ. આરોપીએ અગાઉ મારી છેડતી કરી હતી. મને ધમકી આપી કે, તેઓ અહીં જ ૩૭૬ કલમ લગાવી દેશે. જેને ફરિયાદ કરવી હોય કરી દેજે. આ પછી માતાનું ચીરહરણ કર્યું હતું તે સમયે ત્યાં ૭૦ લોકો હાજર હતા. ભાઈ બેભાન અવસ્થામાં પડ્યો હતો. આ પછી તે ભાગી ગયો હતો.

    નોંધનીય છે કે, પોલીસે ૪૧ વર્ષીય મુખ્ય આરોપી વિક્રમ સિંહ ઠાકુર, ૩૬ વર્ષીય આઝાદ ઠાકુર, ૩૭ વર્ષીય ઈસ્લામ ખાન, ૩૬ વર્ષીય ગોલુ ઉર્ફે સુશીલ કુમાર સોની, ૨૮ વર્ષીય અનીશ ખાન, ૨૨- વર્ષના ગોલુ ઉર્ફે ફારીમ ખાન, ૨૮ વર્ષના અભિષેક રકવાર અને ૧૯ વર્ષના અરબાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બરોડિયા નૌનાગીરના રહેવાસી છે. પોલીસ ફરાર આરોપી કોમલ સિંહ ઠાકુર અને અન્યને શોધી રહી છે.એડિશનલ એસપી સંજીવ ઉઇકેએ જણાવ્યું કે, બરોડિયા ગામમાં કેટલાક લોકોએ યુવકને માર માર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કલમ ૩૦૭ હેઠળ નવ લોકો અને અન્ય ત્રણ-ચાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મૃત્યુ બાદ કલમ ૩૦૨ અને જીઝ્ર જી્‌ એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

    અગ્નિસંસ્કાર માટે સંબંધીઓ આરોપ લગાવી રહ્યા હતા કે, હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. આમાં ૧૩માંથી ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, બાકીની પણ શોધ ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મધ્યપ્રદેશના સાગરમાં એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. ગુંડાઓએ તેની માતાને પણ બક્ષી નહીં. સાગરમાં સંત રવિદાસ મંદિર બનાવવાનું નાટક કરનારા વડાપ્રધાન મધ્યપ્રદેશમાં સતત થઈ રહેલા દલિત અને આદિવાસીઓના અત્યાચાર અને અન્યાય પર થૂંકતા પણ નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કેમેરાની સામે જ વંચિતોના પગ ધોઈને પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.