Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»દેશને કરાટેમાં અપાવ્યો ગોલ્ડ મેડલ આરવ પાસે થાઈલેન્ડ જવા માટે એક રૂપિયો પણ ન હતો
    Gujarat

    દેશને કરાટેમાં અપાવ્યો ગોલ્ડ મેડલ આરવ પાસે થાઈલેન્ડ જવા માટે એક રૂપિયો પણ ન હતો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રમતગમતમાં યુવાનો આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. છતાં કેટલાક વિસ્તારોમાં હજી પણ યુવાઓ માટે રમતગમત ક્ષેત્ર પડકારભર્યું સાબિત થાય છે. કેટલાક ગરીબ પરિવારના સંતાનો આર્થિક સ્થિતિને કારણે આગળ આવતા નથી. પરંતું અમદાવાદનો આરવ રાજપૂત આવા જ પડકારોથી લડી દેશમાટે ગોલ્ડ મેડલ લઇ આવ્યો. આ માટે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને હિતેશ બારોટે તેને થાઈલેન્ડ જવા મદદ કરી હતી, અને તેના બદલામાં આરવે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો.
    આરવ તેના ભાઈ અને માતાપિતા સાથે મેમનગરમાં એક નાનકડા ઘરમાં રહે છે. તેને નાનપણથી કરાટેમાં આગળ વધવું હતું. આરવે નેશનલ લેવલ સુધી અનેક મેડલ્સ પણ જીત્યા. પરંતુ ખરી ચેતવણી ઇન્ટરનેશનલમાં રમવા જતા પહેલા આવી. થાઈલેન્ડમાં ઇન્ટરનેશનલ કરાટે ડુ ચેમ્પિયનશિપ માટે આરવ સિલેક્ટ થયો, પણ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેની પાસે થાઈલેન્ડ જવાના પૈસા ન હતા.

    આરવ પાસે થાઈલેન્ડ જવા પૈસા ન હોવાથી તેને ગુજરાત સ્પોર્ટ્‌સ ઓથોરિટીનો સંપર્ક કર્યો પણ નિયમ મુજબ એક વાર ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ લે. ત્યાર બાદ જ તેને પ્રવાસનો ખર્ચ મળી શકે. અંતે કોઈ વિકલ્પ ન દેખાતા તેણે ચેમ્પિયનશિપમાંથી નામ પાછુ લઇ લેવાનું વિચાર્યું હતું.એક દિવસે ઓચિંતા મંદિરના દર્શન કરતા સમયે સામાજિક આગેવાન નીરુ પટેલ સાથે તેની મુલાકાત થઇ. નીરુબેને આરવની મુશ્કેલી જાણી છસ્ઝ્ર ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનો સંપર્ક કરવા કહ્યું હતું. આરવે હિતેશ બારોટને પૈસા પાછા આપવાની શરતે મદદ કરવા રજુઆત કરી હતી. પણ હિતેશ બારોટે પૈસા પાછા લેવાને બદલે દેશ માટે ગોલ્ડ મેડલ લાવવા માટે કહ્યું.દેશ માટે ગોલ્ડ મેડલ લઈ આવનાર આરવ રાઠોડે જણાવ્યું કે, તે રોજ ૬ કલાક પ્રેક્ટિસ કરે છે. જરૂરિયાત માત્ર ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની છે. ખેલાડીઓને સ્પોન્સર્સ મળવા જાેઈએ જેમ મને મળ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.