Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વરસાદ ખેંચાતા ગુજરાતનો તાત ચિંતીત ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીની પાસે વીજળી ૧૦ કલાક આપવા માગ
    Gujarat

    વરસાદ ખેંચાતા ગુજરાતનો તાત ચિંતીત ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીની પાસે વીજળી ૧૦ કલાક આપવા માગ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેથી ઉભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રી પાસે વીજળી ૧૦ કલાક આપવાની માગ સાથે ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા પત્ર લખીને માગ કરવામાં આવી છે.ઉર્જામંત્રી કનુ દેસાઈને લખવામાં આવેલ પત્રમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા શેરડી, ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવાનું કહેવામાં આવ્યું છે. દસ કલાક વીજળી આપવામાં આવે તો પાકને પૂરતું પાણી મળી શકે તેમ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડીના નવા વાવેતરની શરૂઆત થઈ છે. ત્યારે આ માંગ સંતોષાય તેવી વાત કરવામાં આવી છે.

    સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા ૧ લાખ એકરમાં શેરડીના પાકનું વાવેતર કરાય છે.દક્ષિણ ગુજરાતમાં ૧.૫૦ લાખ એકરમાં ડાંગરનો પાક તૈયાર કરવામાં આવે છે. ડાંગરના પાકને પાણીની વિશેષ જરૂરિયાત હોય છે. છેલ્લા ૨૦ દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ થઈ ચૂકી છે. ત્યારે ખેડૂત આગેવાન જયેશભાઇ પટેલ દ્વારા ઉર્જા મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ખેતીવાડીની વીજળીનાં કલાકોમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૦ દિવસથી વરસાદ ખેંચાવા પામેલ છે.

    હાલમાં ખેડુતોએ ડાંગરનું અંદાજીત ૧.૨૦ લાખ એકરથી વધુ વિશેષ વાવેતર કરવામાં આવેલ છે. ડાંગરનાં પાકને પાણીની જરૂરીયાત વધુ હોય છે. બીજી તરફ શેરડીનું પણ ૧.૦૦ લાખ એકરથી પણ વધુ વાવેતર થવા જઈ રહ્યું છે. ૪૦,૦૦૦ એકરથી વધુ વાવેતર ટયુબવેલ પર આધારીત હોય છે તથા બાકી રહેલ શેરડીની રોપણી પણ ખેડુતો દ્વારા શરૂ કરવામાં આવેલ છે. વીજળીનાં ૦૮.૦૦ કલાકની જગ્યાએ વધારાનાં બીજા ૦૨.૦૦ કલાક ફાળવણી કરેલ ૧૦.૦૦ કલાક વીજળી આપવા માગ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.