Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ધરમપુરની શ્રીમંત મહારાણાશ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની ૧૯૦મી જન્મજયંતિની ઉજવણી
    Gujarat

    ધરમપુરની શ્રીમંત મહારાણાશ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની ૧૯૦મી જન્મજયંતિની ઉજવણી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સમાજ સુધારક, કવિ, ગદ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. કવિ નર્મદના જન્મદિવસને આ વર્ષે ૧૯૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર પાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમાનું પૂજન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરી હતી.
    કવિશ્રી વીર નર્મદ કવિતા, ગદ્ય પ્રકારનું સાહિત્ય લખવાની સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરિવાજોથી સમાજને બચાવવા પોતાની જાત હોમી દીધી હતી. આજથી ૧૫૦ વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં.

    તેમણે લેખન કાર્યમાં સમાજ સુધારણા માટે “દાંડિયા” નામનું સામયિક દ્વારા સાહિત્ય સેવા અને સમાજ સેવા કરી હતી. તેમનું પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ એટલુ જ પ્રચલિત છે. વીર કવિની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ધરમપુર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ફ્રાન્સીસ વસાવા, પાલિકાના ચીફ ઓફિસર ડો. વિજયભાઈ ઇટાલિયા, પાલિકાના માજી ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, લાઇબ્રેરીના સૌથી જૂના વાચક સભ્ય અને જાણીતા ચર્ચાપત્રી રાયસિંગભાઈ વળવી તથા લાઇબ્રેરીના વાચક યુવા- યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહી વીર નર્મદની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર ચઢાવી વીર નર્મદને નમન કરી જન્મજયંતીની ઉજવણી કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.