Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»૧૧ મહિનાના કરાર આધરિત કરાશે ભરતી ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પડી
    Gujarat

    ૧૧ મહિનાના કરાર આધરિત કરાશે ભરતી ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પડી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષક નો સિંહ ફાળો હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં છેલ્લા છ વર્ષથી કોઈ જ વધારો કરવામાં ન આવતા આવા શિક્ષકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ છે. કારમી મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરતાં -કરતાં આવા શિક્ષકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવાનો ર્નિણય કર્યો છે.

    ગુજરાતની માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે ૧૧ માસના કરાર આધારિત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક માટે ૨૬ ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીમાં શિક્ષકોને ૨૪ હજાર રૂપિયા મહેનતાણું આપવાનું નક્કી કર્યું છે.

    શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવશે. જેમાં ઉમેદવારો ઓનલાઈન ૨૬ ઓગસ્ટથી અરજી કરી શકશે. ઉમેદવારો ૪ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારને માસિક ફિક્સ ૨૪ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે.
    ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.