Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારત-આયરલેન્ડ ત્રીજી ટી-૨૦ વરસાદને લીધે રદ ભારતે આયરલેન્ડ સામેની ટી૨૦ સિરિઝ ૨-૦થી જીતી
    Cricket

    ભારત-આયરલેન્ડ ત્રીજી ટી-૨૦ વરસાદને લીધે રદ ભારતે આયરલેન્ડ સામેની ટી૨૦ સિરિઝ ૨-૦થી જીતી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી ટી૨૦ મેચમાં જીત સાથે સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં ટોસમાં વરસાદને કારણે વિલંબ થયો હતો અને ઘણી તપાસ બાદ અમ્પાયરોએ નિર્ધારિત સમયના ત્રણ કલાક બાદ મેચ રદ કરી હતી. આ સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ૧૧ મહિના પછી સર્જરી બાદ પ્રભાવશાળી પુનરાગમન કર્યું હતું.

    ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે યોજાનારા વર્લ્ડ કપ પહેલા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં બુમરાહે યુવા ખેલાડીઓથી ભરેલી ટીમનું નેતૃત્વ કર્યું હતું.જસપ્રિત બુમરાહે કહ્યું કે મેદાન પર પાછા ફરીને સારું લાગે છે. મેચ માટે લાંબા સમય સુધી સતત રાહ જાેવી કંટાળાજનક છે. આજે સવારે વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું, પરંતુ તે પછી વરસાદને કારણે રમત રમાઈ શકી ન હતી. આ સિવાય જસપ્રિત બુમરાહે ભારતીય ટીમની કેપ્ટનશિપ પર પોતાની વાત રાખી હતી. જસપ્રીત બુમરાહે કહ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી ખૂબ જ ગર્વની વાત છે. અમારી ટીમના તમામ ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. જ્યારે પણ તક મળે ત્યારે તમારે પ્રદર્શન કરવું પડશે. એક ક્રિકેટર તરીકે તમે હંમેશા જવાબદારી લેવા ઈચ્છો છો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.