Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»મચ્છરજન્ય, પાણીજન્ય કેસમાં વધારો અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો
    Gujarat

    મચ્છરજન્ય, પાણીજન્ય કેસમાં વધારો અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 23, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે.

    અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિના ઓગસ્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે. તેમજ સાદા મલેરિયાના ૧૧૧ કેસ નોંધાયા જ્યારે ઝેરી મલેરિયાના ૭ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ચિકનગુનિયાના ૯ કેસ નોંધાયા તેમજ ઝાડા-ઉલ્ટીના ૬૧૯ કેસ, ટાઈફોઈડના ૪૬૭ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં કમળાના ૧૧૪, કોલેરાના ૨૦ કેસ નોંધાયા છે.કેસ વધતા અમદાવાદમાં આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને છસ્ઝ્ર દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાયુ હતું. બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.