Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બિહારના મંત્રીનું વિવાદાસ્પદ પગલું તેજ પ્રતાપે અટલ બિહારી પાર્કનું નામ કોકોનટ પાર્ક કર્યું
    India

    બિહારના મંત્રીનું વિવાદાસ્પદ પગલું તેજ પ્રતાપે અટલ બિહારી પાર્કનું નામ કોકોનટ પાર્ક કર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી નાખ્યું છે. હવે આ પાર્ક કોકોનટ પાર્ક તરીકે ઓળખાશે. કાંકડબાગમાં આવેલ આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક હતું. વર્ષ ૨૦૧૮માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું હતું. હવે તેજ પ્રતાપે તેનું નામ બદલીને કોકોનટ પાર્ક કરવાની જાહેરાત કરી છે.

    હવે ભાજપે પાર્કનું નામ બદલવાને લઈને નીતિશ સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે, ૨૦૧૮માં આ પાર્કનું નામ કોકોનટ પાર્કથી બદલીને અટલ બિહારી પાર્ક કરવામાં આવ્યું હતું. પરંતુ તેજ પ્રતાપ યાદવે ફરી એકવાર તેનું નામ બદલીને કોકોનટ પાર્ક કરી દીધું છે. એક તરફ નીતીશ કુમાર અટલજીની સમાધિ પર માળા ચઢાવે છે તો બીજી તરફ તેજ પ્રતાપ યાદવે પાર્કનું નામ બદલી નાખ્યું છે. આ રંગ બદલતી સરકાર છે. તેમણે કહ્યું કે, ભાજપ તેનો વિરોધ કરે છે અને માંગ કરે છે કે આ પાર્કનું નામ બદલવામાં ન આવે.અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલીને કોકોનટ પાર્ક કરવામાં આવ્યું છે. પરંતુ અટલ બિહારી વાજપેયીનું બોર્ડ હજુ પણ પાર્કની બહાર લાગેલું છે અને વાજપેયીજીની પ્રતિમા પણ પાર્કની અંદર લાગેલી છે અને તેમાં કંઈપણ છેડછાડ કરવામાં આવી નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.